SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સૈકાલિક આત્મવિશાન અરિહન્ત શબ્દનો નિશ્ચય અર્થ એ છે કે જેણે રાગ દ્વેષ રૂપી અંતરંગ શત્રને હણ્યા છે તે અરિહન્ત ! જ્યારે એનો વ્યાવહારિક અર્થ એ છે કે જેણે ઘાતકર્મોનો નાશ કર્યો છે તે અરિહન્ત છે. તેમ “અરિ એટલે દ્રવ્યાનુયોગ અને “હન્ત” એટલે ચરણકરણાનુયોગ પણ કહી શકાય. અરિહન્ત શબ્દની વિચારણા બાદ હવે નવકારમંત્રની ચૂલિકામાના “સવ પાવપ્પણાસણો'ના સાતમા પદ વિષે વિચારીશું. ચાર ધાતકર્મની બધી પ્રકૃતિ પાપપ્રકૃતિરૂપ છે જ્યારે ચાર અધાતકર્મમાં પુણ્ય-પાપ ઉભય પ્રકૃતિ છે. પાપવૃત્તિ અને પાપ પ્રવૃત્તિ અટકે એટલે પાપપ્રકૃતિ નહિં બંધાય. ધાતકર્મ પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિથી બંધાય છે. સ્વરૂપની અપેક્ષાએ ચારે ઘાતકર્મ આત્માને પરમાત્મા બનવા દેતા નથી. તેથી જ તેને પાપપ્રકૃતિ કહેલ છે. અહીં એક પ્રશ્ન એ ઉદભવે છે કે નિદ્રા એ ઘાતકર્મમાંના દર્શનાવરણીય કર્મનો એક ભેદ છે, તે નિદ્રા તો જીવને આવશ્યક છે, કેમ કે નિદ્રા વિના જીવ જીવી શકતો નથી. નિદ્રાનાશના રોગી આપઘાત કરી જીવનનો અંત આણવા સુધી જાય છે. તો એને પાપપ્રકૃતિ કેમ કહેવાય ? એનો જવાબ એ છે કે નિંદ્રા એ જડવતદશા છે, અને પ્રમાદરૂપ હોવાથી કદી ય નિદ્રાવસ્થામાં કેવલજ્ઞાન થતું નથી. અર્થાત્ પરમાત્મા બની શકાતું નથી માટે તેને પાપપ્રકૃતિ કહેલ છે. મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ' સર્વ મંગલમાં પ્રથમ મંગલ એટલે કે ઉત્કૃષ્ટ મંગલ નમસ્કાર મહામંત્રમાના પંચ પરમેષ્ઠિ પદોને કરવામાં આવતો નમસ્કાર છે. અહીં હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આનંદ અથવા સુખનો સંકેત કેમ ન કર્યો? પાપને ગાળે તે મંગલ એ “મંગલ' શબ્દનો અર્થ છે. વ્યાકરણશાસ્ત્રની પદ્ધતિએ “મંગલ’ શબ્દના એવા ઘણા અર્થ થાય છે. જ્યાં આનંદ યા સુખ હોય ત્યાં મંગલ હોય પણ ખરું અને ન પણ હોય. પરંતુ જ્યાં મંગલ હોય ત્યાં આનંદ અને સુખ નિયમા હોય જ. “મંગલ થાઓ ! એ આશીર્વચન કલ્યાણ અને હિતને સૂચવે છે. હિત અને સુખ એ બેમાં મોટો ભેદ છે. હિત અને કલ્યાણ નિત્ય તત્ત્વ છે. જ્યારે હિત અને કલ્યાણ નિરપેક્ષ સુખ અનિત્ય છે. માટે જ નમસ્કાર મહામંત્રની ચૂલિકામા “સર્વ પાપનો પ્રણાશ થાઓ !” અને “સર્વનું મંગલ થાઓ !” એવી જે રચના છે તે જીવને પરમાર્થ તત્ત્વની મહા મૂલ્યવાન બક્ષિસરૂપ છે. આ રીતે નમસ્કાર મહામંત્રમાં એકેક શબ્દની રચના અને યોજના વિસ્મયકારક, અને અદ્ભુત અલૌકિક અર્થાત્ લોકોત્તર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004900
Book TitleTraikalik Atmavigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1994
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy