________________
સ્વરૂપમંત્ર
૧૨૧
ભગવાને આપેલ દ્વાદશાંગીનું મૂળ શું ? સ્વર અને વ્યંજનરૂપ વર્ણ એ દ્વાદશાંગીનું મૂળ છે એટલે કે
...
અક્ષરનો સમૂહ શબ્દ બને છે. કર્તા અને ક્રિયાપદ પૂર્વક શબ્દના સમૂહથી સૂત્ર બને છે. સૂત્રનો સમૂહ અધ્યયન બને છે. અધ્યયનનો સમૂહ આગમ બને છે, અને આગમનો સમૂહ તે દ્વાદશાંગી. આમ દ્વાદશાંગીનુ મૂળ અક્ષર છે.
જેમ કેવલજ્ઞાની સ્વયં અક્ષર છે, તેમ કેવલજ્ઞાનીના વદન-કમલમાંથી મળેલ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનનું મૂળ સ્વર અને વ્યંજન રૂપ જે વર્ણ છે, તેને પણ અક્ષર કહેવાય છે. એટલે કે અક્ષર એવાં કેવલજ્ઞાનનાં મૂળ રૂપ પણ અક્ષર અને અક્ષરનું ફળ પણ અક્ષર એવું કેવલજ્ઞાન.
જેમ કેવલજ્ઞાન નિર્વિકલ્પક છે તેમ કોઈ પણ સ્વર અને વ્યંજન રૂપ એક વર્ણાક્ષરના ચિંતવન કે ઉચ્ચારથી કોઈપણ વિકલ્પ સિદ્ધ થતો નથી. એથી કરી અક્ષર માત્રના ઉચ્ચારથી પદાર્થ સંબંધી કોઈ પણ ભાવ થઈ શકતા ન હોવાથી માત્ર ઉપરનું ચિંતવન નિર્વિકલ્પકતા છે.
આમ ‘અ’ એ આદિ છે, મૂળ છે. કેવલજ્ઞાનનું બીજ છે માટે ‘કેવલજ્ઞાન' છે.
બીજો શ્લોક ‘ર' અક્ષર ઉપર નીચે પ્રમાણે છે.
રૂપિ દ્રવ્યમ્ સ્વરૂપમ્ યા દ્રષ્ટવા જ્ઞાનેન ચક્ષુષા દષ્ટ લોકર્યા કારસ્તેન ઉચ્યતે
‘૨’ નો લક્ષ્ય અર્થ રૂપીથી રૂપીનું અને અરૂપીથી રૂપી ને અરૂપી ઉભયનું દર્શન છે અથવા તો લોકાલોક જોનારું ‘કેવલદર્શન' છે.
ત્રીજા શ્લોકમાં ‘હ’ અક્ષર ઉપરની સમજૂતી આ પ્રમાણે આપી છે.. હતા રાગાદેષા હતાઃ મોહ પરિષહાઃ ।
હતાની યેન કર્માણિ હકારસ્તેન ઉચ્યતે ॥
‘હ' નો લક્ષ્ય અર્થ રાગદ્વેષાદિ દોષરૂપી શત્રુને હણવાની ક્રિયા જે ચારિત્ર છે. અથવા તો અબ્રહ્મભાવ, સંસારભાવ, દૈતભાવ કાઢી નાખવાથી પ્રગટ થયેલ ચારિત્ર છે.
છેવટનો ચોથો ‘ન’ અક્ષર ઉપરનો શ્લોક નીચે મુજબ છે. સંતોષણામિ સંપૂર્ણો પ્રતિહાર્યાષ્ટકેન । જ્ઞાત્વા પુણ્યમ્ ચ પાપમ્ ચ નકારસ્તેન ઉચ્યતે ન્, નો લક્ષ્ય અર્થ નિષેધ છે, પરનો નિષેધ અને સ્વનો અનુરોધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org