SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સૈકાલિક આત્મવિજ્ઞાન થાય તેટલી કર્મનિર્જરા નવકારમંત્રના એક અક્ષરના ઉચ્ચાર માત્રથી થાય છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે અરિહંત-સિદ્ધ અને આચાર્ય - ઉપાધ્યાય-સાધુમાં ભેદ હોવા છતાં પાંચે પદનું ફળ એકસરખું કેવી રીતે હોઈ શકે? પદ ભેદ જે છે તે અવસ્થા અને વ્યવસ્થાના ભેદો છે. અરિહંત સયોગીસદેહી વીતરાગ પરમાત્મા છે. સિદ્ધ અશરીરી અદેહી વીતરાગ પરમાત્મા છે. જ્યારે આચાર્ય શાસનધૂરા ધારક સર્વોચ્ચ વૈરાગી સાધક છે, ઉપાધ્યાય પઠન પાઠન કરાવનાર વૈરાગી સાધક છે અને સાધુ સ્વયં સાધના કરનારા, સાધના કરનાર અન્યને સહાયક થનારા તેમજ સાધનાનો આદર્શ આપનારા વૈરાગી સાધક છે. આ બધા અવસ્થા અને વ્યવસ્થાના ભેદ છે. પરંતુ ફળપ્રાપ્તિની દૃષ્ટિએ પાંચે પદથી સરખું ફળ મળી શકે છે. અરિહંત અને સિદ્ધના શરણથી અને હાજરી નિસામાં જ કેવલજ્ઞાન થાય અને આચાર્ય-ઉપાધ્યાય-સાધુના શરણથી અને તેમની નિશ્રામાં કેવલજ્ઞાન-મોક્ષપ્રાપ્તિ ન થાય એવું નથી. પાંચેય પદના શરણથી અને અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની નિશ્રામાં અથવા તો માત્ર શરણથી કેવલજ્ઞાન, મોક્ષપ્રાપ્તિનું કે પછી તેની પૂર્વભૂમિકામાં પુણ્યાનુબંધી પુણ્ય, સમકિત દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિનું ફળ મળી શકે છે. ફળપ્રાપ્તિ અંગે મૃગાવતી સાધ્વી અને ચંદનબાળા સાધ્વીજી, અર્ણિકાપુત્ર આચાર્ય અને પુખ્તચુલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્ય અને તેમના વિનયી શિષ્ય, ગૌતમસ્વામીજી અને પંદરસો તાપસના શાસ્ત્રીય દાંત આપણી પાસે મોજુદ છે. તેથી જ તો ગાયું છે કે “ગુરુ રહ્યાં છબસ્થ પણ વિનય કરે ભગવાન...” હવે આપણે “અરિહન્ત” શબ્દ વિષે થોડી વિસ્તૃત છણાવટ કરીશું. અરિહન્તપણું એટલે અરિરૂપી દોષ જે જીવના ખરા શત્રુ છે. તેને હણવાનીદૂર કરવાની ક્રિયા, એ જીવની સાધના છે. જ્યારે “અરિહંત' ને “અરહનું (અરહન) તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાદેવ વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે અરહ – શબ્દની વિસ્તૃત સમજ તેના ચાર અક્ષર અ ર હ અને ન્ ઉપર એક એક શ્લોક રચના કરીને આપી છે. અરહનું શબ્દ પ્રથમ અ અક્ષર ઉપર નીચે પ્રમાણેનો શ્લોક છે. અકાર આદિ ધર્મસ્ય આદિ મોક્ષ પ્રદેશક : | સ્વરૂપે પરમમ્ જ્ઞાનમ્ અકારસ્તન ઉચ્યતે || “અ” નો લક્ષ્ય અર્થ અક્ષર. અક્ષર, એટલે કે જેનો ક્ષાર અર્થાત્ વિનાશ નથી તે અવિનાશી અથવા તે અક્ષર એટલે શ્રુતજ્ઞાનનું મૂળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004900
Book TitleTraikalik Atmavigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1994
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy