SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનન્દ ઘન સુજસ વિલાસી, તે કિમ પરનો આશી રે...' સ્થિરા દૃષ્ટિમાં સાધકે પોતાના શાશ્વતીના લયને અનુભવે છે અને સ્વથી ભિન્ન પર-પુદ્ગલસમૂહને ઈન્દ્રજાળ જોતો હોય એ રીતે જુએ છે. વાસ્તવિક તો છે સ્વની જ દુનિયા. પૌગલિક દુનિયા તો છે આભાસી વિશ્વ, પડછાયાની માયાવી સૃષ્ટિ. | આ જ વાતની પુષ્ટિ મહોપાધ્યાયજીએ સમાધિશતકમાં કરી છે. ‘આતમભાવે મગન , સો સબ પુદ્ગલ ખેલ; ઈન્દ્રજાળ કરી લેખવે, મિલે ન તિહાં મન મેલ...' આત્મભાવમાં ડૂબેલ સાધક પુદ્ગલોના ‘ખેલ’ને ઈન્દ્રજાળની જેમ જુએ છે અને તેથી તેનું મન પુદ્ગલોના ખેલમાં ભળતું નથી. એક એક દૃષ્ટિનું આવું સચોટ વર્ણન ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રન્થમાં છે. એ ભૂમિકા પ્રાપ્ત કરવા માટે હૃદયની ભોમકાને શુદ્ધ કરવા માટે ‘શાંતસુધારસ’ ગ્રન્થ છે. અનિત્યાદિ ભાવનાઓનું અનુશીલન દેખાતા અનિત્ય-શરીરાદિને પેલે પાર રહેલ નિત્ય તત્ત્વ-આત્મ તત્ત્વ-જોડે આપણું અનુસંધાન રચી આપે છે. | ‘પ્રશમરતિ પ્રકરણ’ પ્રશમના આનંદને માણવાની કળાઓ શીખવીને ભીતરી આનંદલોકમાં સાધકનો પ્રવેશ કરાવે છે. | આવા ત્રણે ગ્રન્થરત્નોનું સંક્ષેપમાં અનુશીલન વિદુષી સુનંદાબહેને કર્યું છે. આ સંક્ષિપ્ત અનુશીલન ભાવકને તે તે ગ્રન્થને મૂળમાં વાંચવા માટે લાલાયિત કરશે. સુનંદાબહેન દ્વારા સ્વાધ્યાયનાં પુષ્પો પ્રભુચરણે સતત ધરાતા રહે એ જ મંગળ કામના. મહા વદિ-૮, ૨૦૬ ૬ ગિરનાર તીર્થ ali Ranga (યશોવિજય સૂરિ)
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy