SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પૂ. આચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ જન્મ : વિ.સં. ૨૦૦૨ દીક્ષા : વિ. સં. ૨૦૧૩ આચાર્યપદ : વિ.સં. ૨૦૪૫ ધત ત્વ, ‘નાસી જાસી, હમ થિર વાસી...' ‘યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રન્થ ભીતરી દશાને ચકાસવા માટેનો ગ્રન્થ છે. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં સાધકની ભીતરી દશા કેવી હોય છે ? આઠ દૃષ્ટિની સજઝાયની એક કડી યાદ આવે; ‘બાલ્ય ધૂલીઘર લીલા સરખી, ભવલીલા ઈહાં ભાસે રે...' વૈભાવિક ક્રિયાઓ અર્થશૂન્ય લાગવા માંડે છે અહીં. નાનાં બાળકો વરસાદથી ભીંજાયેલી રેતમાં ઘર બનાવે અને પછી પાટુ મારી તોડી નાખે; એનો લગાવ-એટેચમેન્ટ એ ઘર સાથે નથી હોતો; આવું જ વલણ સાધકનું પાંચમી દૃષ્ટિમાં હોય છે. સ્થિરા દૃષ્ટિમાં ભેદાનુભૂતિ સ્પષ્ટ થયેલ હોય છે ત્યારે, વિભાવોના કોચલાથી પોતાના શુદ્ધ સ્વરૂપને છુટું પાડી શકાયું છે. પૂ. આનંદઘનજી મહારાજ કહે છે ‘નાસી જાસી, હમ થિર વાસી...' નાશવત્ત છે તે જવાનું છે, શરીર આદિ; પણ હું તો અનશ્વર છું, શાશ્વત છું. ઋષિવાણી યાદ આવે. ‘સનોદચં શાશ્વતીયં પુરાT:, ન હન્યતે હજમાને શરીરે...' ગીતાકાર આ જ શૃંખલામાં આગળ વધતાં કહે છે. “નૈનં છિન્નત્તિ શસ્ત્રાનિ, નૈનં વદતિ પાવર :” ન એને-આત્માને શસ્ત્રો છેદી શકે, ન એને અગ્નિ પ્રજાળી શકે. | આ અવિનાશીપણાની વાતની સરસ અભિવ્યક્તિ આઠદૃષ્ટિની સજઝાય (યોગદૃષ્ટિ સમુચ્ચયને સામે રાખીને મહોપાધ્યાય યશોવિજયજીએ રચેલી ગુજરાતી કૃતિ)માં આવી.
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy