SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વિચિત્ર ઉપાધિઓ ધારણ કરે છે? અરે ! જેને તું તારા માને છે તે માતા, પિતા, પુત્રાદિ પરિવાર, પ્રાણપ્રિયા તે પણ તારા નથી. તે તે સંબંધો તે અનંતવાર કર્યા, ભોગવ્યા અને છોડવા પડ્યા. શુદ્ધાત્માને આની સાથે કંઈ સંબંધ નથી. અજ્ઞાનવશ જીવ આ ચક્કરમાં ફસાયો છે. માટે નિશ્ચયથી જાણ કે તું શુદ્ધાત્મા. છું. તારામાં પરનો કે તેના મમત્વનો પ્રવેશ જ નથી તો પછી તે પદાર્થો તારા થાય જ કેવી રીતે ! તું સર્વથી ભિન્ન સદાય ન્યારો છું. “તું નહિ કેરા કો નહિ તેરા ક્યા રે મેરા મેરા ! તેરા હૈ તો તેની પાસે અવર સબ અને, આપ સ્વભાવમેં રે અવધુ સદા મગનમે રહના.” વળી આચાર્ય ભગવંત કહે છે કે હે આત્મન ! તું જેને માટે જે મેળવવા ભરપૂર પ્રયત્ન કરે છે, જાતજાતના ઉપાયો કરે છે, ઘડીમાં હસે છે ઘડીમાં રડે છે. ઓરે, ઓરે, સમજ મુરખ મન તે સર્વે સંયોગવાળા છે તેનો અવશ્ય વિયોગ છે. એવા પરાયા પદાર્થોના સંયોગમાં શાને સુખ દુઃખ માને છે ? તું તો સુખનો ભરેલો સાગર છું. એ પદાર્થોથી ભિન્ન થઈ, ભેદજ્ઞાન કરી લે તો તને તારા સાચા સુખનો પરિચય થશે. ભાઈ ! એકવાર, એકવાર પ્રયોગ તો કર. તમે ઈનિઝ બુદ્ધિ ત્યજી જ્ઞાતા બની જાણો, જુઓ કે આ તો સંયોગ વિયોગ ના ખેલ છે. પદાર્થોમાં સુખ દુઃખ નથી પણ જીવને ભ્રમ થાય છે. તે ભ્રમ ભેદજ્ઞાન વડે દૂર કરવાનો છે કે હું તો આ સર્વેથી ભિન્ન છું. ન્યારો છું. અન્યત્વ ભાવના ભાવતા જે પરની આસક્તિ ત્યજી દે છે તે આત્મસાધક સ્વસ્થ રહે છે. અર્થાત સ્વમાં રહે છે, તે જ સુખ છે. જોકે અનાદિનો મહાવરો એકાએક છૂટી નહિ જાય. જો ગુરુગમે બોધ પામે તો પ્રયત્ન સાધ્ય છે. મારો આત્મા બહારના સંયોગ, પદાર્થો, વ્યક્તિ, ધનાદિ, હો વગેરેથી જુદો છે. તેવું વારંવાર ચિંતન કરવું. ઘૂંટયા કરવું. તો કંઈક પરિણામ નિપજશે. ઘંટો ઘંટો કે - વાસ્તવમાં આત્મા શરીરથી સ્વભાવ વડે તન્ન ભિન્ન - જુદો છે. આત્મા જ્ઞાનાદિ લક્ષણવાળો છે, સુખ અને આનંદથી ભરેલો છે. શરીર સ્પર્ધાદિ લક્ષણવાળું અને સાત મલિન ધાતુથી ભરેલો કોથળો છે. છતાં અજ્ઞાનવશ જીવ દેહ અને દેહ સાથે મળેલા માતા, પિતા, પુત્ર વિગેરે મળેલા સગપણના ગળપણથી ઐકયતા માને છે. શરીર એટલે પુદ્ગલ, તે ગળે અને સડે. જાડું થાય પાતળું થાય, કાળું હોય ગોરું હોય, શરીર સાથે ઐક્ય હોવાથી જીવ તેને સારું રાખવા પ્રયત્ન કરે છે. જાડું હોય તો તેને પાતળું કરવા અને કાળું હોય તો ગોરું અન્યત્વ ભાવના ચિંતનયાત્રા ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy