SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા મથે છે. પણ શરીર તો એના ધર્મ પ્રમાણે ચાલે છે. તે જડ તારાથી ભિન્ન તું કંઈ ફેરફાર ન કરી શકે, કંઈ ફેરફાર થતો લાગે છે તે નિમિત્ત સંબંધ છે. જેમકે, ડાઈ કરી ધોળા વાળને કાળા કરે તે સાચો ઉપાય નથી. વળી આત્માનો સ્વભાવ જાણવાનો છે. દેહમાં તે ગુણ હોય તો શબ ખાવા પીવા જાણવાની ક્રિયા કરી શકે પણ તેમ થતું નથી. વળી આત્મા આનંદમય છે. જીવ ઈન્દ્રિયના વિષયથી વિરકત થાય, મન સંકલ્પ વિકલ્પોથી શાંત થાય તો આત્માનો નિરામય આનંદ મળે. ઈદ્રિય વડે અનુભવાતો આનંદ ગુણ તો આત્માનો છે પણ તે પુલ મિશ્રિત છે તેથી તે આનંદનો આભાસ માત્ર છે, અશુદ્ધ છે. અજ્ઞાનદશા છતાં કંઈ પણ જણાય છે, આનંદ કે સુખ લાગે છે તે ખરેખર આત્માના સ્વભાવને આભારી છે. તે સ્વભાવ પર કર્માણુઓનું આવરણ છે તેથી આત્માનો શુદ્ધ સ્વભાવ (આનંદ) શુદ્ધપણે અનુભવમાં આવતો નથી. યોગીજનોએ સ્વપુરૂષાર્થ વડે શુદ્ધદશા પ્રગટ કરી પછી જેમ રાંધેલું અનાજ ઉગતું નથી તેમ પુનઃ જીવને કર્માણ લાગતા નથી. “ક્તકો પલવત પયડી પુરૂષતણીરે જોડી અનાદિ સ્વભાવ, અન્ય સંયોગે જિહાં લગી આભારે, સંસારી કહેવાય.” -શ્રી પદ્મપ્રભુસ્વામી, શ્રી આનંદઘનજી ખાણમાં સોનું માટી અનાદિથી મિશ્ર-મલિન હોય છે. તે અગ્નિમાં તપવાથી છૂટા પડે છે. તેમ જીવ કર્મપ્રકૃતિ વડે અનાદિથી મલિન થયે સંસારી કહેવાય છે. પણ જો તે તપાદિ દ્વારા કર્મને તપાવે, શુદ્ધ સ્વભાવમાં રહે તો શુદ્ધ સોનાની જેમ શુદ્ધાત્માપણે પ્રગટ થાય. જીવ અને દેહ સ્વભાવે ભિન્ન છે છતાં અધ્યાસથી ઐકયતા માને છે. “જીવ દેહ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે.' -શ્રીમદ રાજચંદ્ર જીવ દેહ સાથે તો શું પણ દેહ ઉપરાંત વાડી, ગાડી, લાઠી, સાડી, ધન માન સર્વે સાથે એક્ષણાની અજ્ઞાનદશા વર્તે છે. એટલે સ્વરૂપને ભૂલીને જીવ દરેક પદાર્થો સાથે મારાપણાથી વર્તે છે. જ્ઞાનીજનો કહે છે ભાઈ, આ જન્મ-મરણાદિ તારા તો નથી, તે તારામાં વ્યાપી જતા પણ નથી. એ સર્વે તારા જ્ઞાનમાં જણાય છે અને તું માને છે કે જે જણાય છે તે હું છું. ભાઈ જણાય તે તું નહિ, પણ જાણનાર તે તું છો. માટે તારું સ્થાન જયાં છે ત્યાં ફરી જા તો બધા દુ:ખનો અંત આવશે. Jain Ridhulall national For Private Personal Use Only 34-42 Headery.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy