SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. અન્યત્વ ભાવના છે એકત્વ અને અન્યત્વ ભાવનાનો તફાવત એ છે કે એકત્વ ભાવના દર્શાવે છે કે જીવો અનંતા છતાં દરેક જીવ માત્ર એક છે સ્વતંત્ર પરિણામી છે. અન્યત્વ ભાવના દર્શાવે છે કે જીવ, અજીવ સર્વે પદાર્થો અન્યોન્ય નિતાંત ભિન્ન છે. આ ભાવનામાં આચાર્યશ્રી પ્રકાશે છે કે પરાઈ વ્યક્તિ-શત્રુ ઘરમાં ઘૂસે ત્યારે વિનાશ કરે છે. તેમ જ્ઞાનાદિ ગુણોથી સમૃદ્ધ આત્મામાં ઘૂસી ગયેલા કર્મોના પરમાણુઓ કેવા ભયંકર કોને નિમંત્રે છે? તેનો વિચાર કરી હે આત્મા ! તું પારકી પંચાત છોડી દે. પૌલિક પ્રકારોની મમતાને આધીન થઈ પીડાનો શિકાર શાને બને છે ! આત્મામાં કર્મોનો સંયોગ એટલે પરનો પ્રવેશ. જયાં સુધી અજ્ઞાનવશ કર્મોનો પ્રવેશ રહેશે ત્યાં સુધી અજન્મા, અમરણ ગુણવાળો આત્મા જન્મમરણનું દુઃખ પામતો રહેશે. અનાદિ કાળથી જીવ દુર્દમ્ય દુઃખો ભોગવતો આવ્યો છે. એટલા માટે જ્ઞાનીજનો ભેદજ્ઞાનની ચાવી જીવોને બતાવે છે કે જીવકર્માદિ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન છે. દેહાદિ પુદ્ગલથી ભિન્ન છે. પુલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, લક્ષણવાળા છે. અને તે આત્મા જ્ઞાન-દર્શનાદિ ગુણવાળો છે. કયાં ગંગૂ તેલી અને કયાં રાજા ભોજ ? “પુદ્ગલથી ન્યારા સદા જે, જાણ અફરસી (સ્પશદિ) જીવ, તાકા અદ્ભવ ભેદજ્ઞાનથી, ગુરુગમ કરો સદીવ.” દેહાદિમાં મારાપણાની માન્યતા એકાએક દૂર થતી નથી. ગુરુગમ, ગુરુનું સાન્નિધ્ય, ગુરૂઆશા દ્વારા ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પૌદ્ગલિક પદાર્થોના નિમિત્તને આધીન જીવ વિષયી અને કષાયી બને છે એટલે તેનામાં કર્માદિ પરપદાર્થોનો પ્રવેશ થાય છે, તેથી જીવ ક્રોધાદિ કષાયોમાં ફસાય છે. છતાં આ પ્રવેશ સાંયોગિક છે સ્વાભાવિક નથી. તેથી ભેદજ્ઞાન વડે પરપ્રવેશથી આત્મા મુકત થાય છે. પૌદ્ગલિક પદાર્થોનો રાગ એ કષાય. તેના સંગથી જીવના પરિણામ વિકારી બને છે. દેહાદિના રાગથી જીવ જન્મ, જરા અને મરણને આધીન થાય છે. વિષયોમાં ફસાઈને કર્મબંધ કરે છે, વળી એ કર્મબંધની વિચિત્રતાથી જીવ રાય - રંક, ગોરો - કાળો, રૂપાળો - કુરૂપ, ઉંચો - નીચો, જેવા ભેદ પામે છે. શુદ્ધાત્મામાં આવી વિચિત્રતા કે વિષમતા છે નહીં. અરે આત્મા સ્ત્રી, પુરૂષ, તિર્યંચ દેવ કે નારકી પણ નથી, યુવાન કે વૃદ્ધ નથી. કામી ક્રોધી કે લોભી નથી છતાં એક પુદ્ગલને આધીન થઈ કેવી ચિંતનયાત્રા ૩૮ For Private & Personal Use Only અન્યત્વ ભાવના www.jainelibrary.org Jain Education International
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy