SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. એકત્વ ભાવના આત્મા સ્વયં એકાકી છે. સ્વયં ભગવાન છે. જ્ઞાનદર્શનમય છે. બાકી સર્વ બાહ્ય સંયોગો મારા આત્માથી ભિન્ન છે. હું તો સિદ્ધ બુદ્ધ પૂર્ણાનંદી છું. પૂર્ણ સુખી છું. શુદ્ધ નિશ્ચયનય આધારિત આ ભાવના નિત્ય ભાવવાની છે. જો આ ભાવના આત્માશ્રયી હશે તો પાપોનો નાશ થઈ આત્મસ્વરૂપ પ્રગટ થશે. દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂ૫ રે.” - ચેતન જ્ઞાન અજવાળીએ. હું મન, વચન કે કાયા રૂપ પૌદ્ગલિક તત્ત્વ નથી. હું તો કર્મ રહિત શુદ્ધાત્મા છું. હું જન્મમરણ રહિત અક્ષય સ્થિતિવાળો, કર્મ કલંક રહિત પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છું. હું તો સ્વગુણભોગી છું મારે વળી વિષય ભોગ કેવા? આ રીતે નિરંતર ભાવના કરતા જીવને એકાકીપણાનું માહાભ્ય આવે છે. એકાકીપણાનો ભય ટળી જાય છે. હું એકલો છું મારું કોઈ નથી તેવી દીનતા ટળી જાય છે. એકત્વભાવનાને આત્માકાર કરવા નિશ્ચયદેષ્ટિને લક્ષમાં લેવી કે હું નિતાંત એક છું. પરમાત્મસ્વરૂપ છું. પૂર્ણ સુખ-આનંદ મારાં સ્વરૂપને આધીન છે. સ્વરૂપ સાથે અભેદ થતાં સંસારની સર્વ જંજાળ ટળે છે. આત્મસ્મરણના આનંદમાં જીવ એકરૂપ મગ્ન થઈ મહાલે છે. તપ, સંયમ વ્રતાદિથી જે કાર્ય નથી થયું તે સ્વરૂપપ્રાપ્તિ આ ભાવનાથી થાય છે. અને સંસારના બંધનનો અંત આવે છે. “હું એહનો એ માહરો, એ હું ઈણ બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ.” સંસાર ભાવનામાં આપણે જોયું કે આંખ બંધ થતાં આ જગતના મારા તારા સર્વ ભાવો વિરામ પામે છે, એક સ્વપ્ન પૂરું થાય છે. અહીં કહે છે હું તારો કે કોઈ મારું એ ચેતનના જડ ભાવો છે, રાગાદિ તરંગો છે. તેને કારણે ચેતન પોતાનું ચેતનપણું ભૂલી પોતાને દેહાદિરૂ૫ માની સંસારમાં ભળે છે. - ચિંતનયાત્રા રે રે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy