SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ છે. બાળ અવસ્થા તો ત પરાધીન, દુઃખે માથું અને મા પેટ પંપાળે, પોતે બોલી તો શકે નહિ. તેમાં પણ મા મૃત્યુ પામે ત્યારે ભારે દુઃખ ભોગવવું પડે. વળી શરીરમાં અશાતાના ઉદયે પીડા ભોગવવી પડે. ઈષ્ટના વિયોગનું દુ:ખ ભોગવવું પડે. વળી નીચ ગોત્રમાં તો દરિદ્રતાના દુઃખો સહન કરવા પડે. કોઈ પુણ્યશાળી જીવોને કંઈક સુખ હોય તો પણ તે પરાધીન છે. વળી ઘણું પુણ્ય હોય તો પણ સ્ત્રી, પુત્રાદિના વિયોગનું દુઃખ, માનસિક ચિંતાનું દુઃખ આવા અનેક પ્રકારના દુઃખોથી મનુષ્ય ઘેરાયેલો છે. તેથી બોધ પામી ધર્મ, ભક્તિ, પરોપકાર, દયા, વ્રત, જેવા સાધનોનું આરાધન કરવું જેથી દુઃખથી રક્ષણ મળે છે. દેવગતિના દુ:ખો : સામાન્ય રીતે એવું મનાય છે કે દેવલોક, સ્વર્ગ, વૈકુંઠમાં સુખ જ સુખ છે. યદ્યપિ દેવના શરીર સુંદર શુભપુદ્ગલોના, રોગ રહિત હોય છે. એ ભૂમિ ભોગભૂમિ છે, છતાં ત્યાં સૌ પ્રથમ દુઃખ એ છે કે એ ભોગ ભૂમિમાં જન્મેલા દેવોના શરીર નશ્વર છે, આયુષ્યકર્મને આધીન છે. અર્થાત મૃત્યુ છે. જયાં મૃત્યુ છે ત્યાં દુઃખ છે. વળી પુણ્યકર્મ પ્રમાણે ઉપરના દેવલોકની રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ વિશેષ હોય છે. તે નીચેના દેવો જુએ છે અને ઈર્ષાથી બળતા રહે છે. દેવાંગનાઓનું ચ્યવન થતાં વિરહાગ્નિથી બળે છે. હજારમાંથી એક દેવી ઓછી થાય તો પણ લોલુપતાથી દુઃખી થાય છે. રોગ નથી પણ ભોગની દોડનું દુઃખ વિશેષ છે. વળી મિથ્થામતિ દેવ ભોગ તૃષ્ણાને પરિણામે મૃત્યુ પામી પ્રાયે એકેન્દ્રિયના પૃથ્વી, પાણી કે વનસ્પતિના સ્થાનોમાં જન્મ લે છે, તે અવધિજ્ઞાનથી જાણે છે અને દુઃખી થાય છે. આમ દેવલોકમાં પણ દુઃખ તો છે જ. સંસારમાં કયાંય રોકાવા જેવું નથી ભલે તે સ્વર્ગ હોય કે માનવલોક હોય. અનુપ્રેક્ષા : સંસાર એટલે ચાર ગતિનું ચક્ર. ફૂટબોલની જેમ જીવ જન્મ મરણ દ્વારા ફેંકાય છે. પુણ્યયોગે કોઈ ગતિમાં કંઈક સુખ મળ્યું તો તે ચાર દિવસની ચાંદની જેવું અને અંતે દુઃખવાળું છે. માટે જ્ઞાની પુરુષો સંસારના આવા કરૂણ અંજામને જાણી બોધ ગ્રહણ કરી સાચા સુખને માર્ગે વળી ગયા. સંયમમાર્ગ પ્રારંભમાં પહાડ તોડવા જેવો છે પણ પરિણામે સુખદાયક છે. ચાર દિવસના ચાંદરણા પર જૂઠી માયા શા માટે, જે ના આવે સંગાથે તેની મમતા શા માટે ?” ચિંતનયાત્રા Jain Education International ૩૧. For Private & Personal Use Only સંસાર ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy