SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ દિકરા પ્રત્યે રાગ છે. એમ સંપત્તિ આદિ માટે સમજવું. તમે ઈસ્ત્રીટાઈટ વસ્ત્રો સજ્યા કે ચૂંથાયેલા કપડા પહેર્યા, કપડાંને શું રાગાદિ થશે? પણ તને ઈસ્ત્રીવાળા ગમશે તે રાગ, અને ચૂંથાયેલા નહિ ગમે તે દ્વેષ. આમ આત્મા સ્વભાવે તો નિર્વિકાર છે પણ પુગલના સંયોગે સ્વયં રાગાદિ રૂપે પરિણમે છે તે જ તેનો સંસાર છે. ગુણ શુદ્ધતા તે સ્વભાવ છે. દોષ તે બીજું પાસું છે, વિકૃત છે, અશુદ્ધ છે. હવે જીવ એકાંતે વિચારજે કે તે શા માટે આ સંસારના આવા દુઃખોને સહન કર્યા અને હજી કરે તેવા લક્ષણને સેવે છે? ચારે ગતિમાં કયાંય સુખ પામ્યો નથી એ દુઃખોને જાણી લે. નરનું દુઃખ : સ્વયં કરેલા નિર્દયતાભર્યા પાપના ઉદયથી જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંના દારૂણ દુઃખોની વેદના અન્ય કોઈ રીતે કહી શકાતી નથી. જીવ અજ્ઞાનવશ ક્રૂર રીતે હિંસા, અસત્ય, ચોરી, બળાત્કાર કે પરધનહરણ જેવા પાપો કરી આ કર્મ બાંધે છે. આ નરકમાં નારકીનું શરીર જ સ્વયં દુઃખદાયી અને ધૃણાજનક હોય છે. પરસ્પર છેદન તાડન એ જ ધંધો હોય છે. પરમાધામી દેવો દ્વારા શરીરના ટૂકડા થાય છે, ભેદાય છે, ત્યારે કોઈ બચાવી શકતું નથી. ક્ષેત્રાકૃત વેદના પણ અસહ્ય હોય છે. અતિશય ઠંડી કે ગરમી અને દુર્ગધ સહન કરે છે. અતિશય ક્ષુધા તૃષા લાગે પણ ખાવા પીવાનું મળે નહિ. પૂર્વના વેરીઓ અહીં જન્મીને અન્યોન્ય મારે કાપે, આવા અનેક દુઃખો જીવ પોતાના જ ઘોર કૃત્ય વડે પામે છે. માટે જીવે કોઈ પ્રકારે દૂર પરિણામ સેવવા નહિ. તિર્યંચગતિના દુઃખો : નારકમાંથી નીકળી મહદ્ અંશે જીવ તિર્યચપણું પામે છે. ત્યાં ગર્ભથી જ તેનું દુઃખ શરૂ થાય છે. નાના પ્રાણીઓ સિંહ જેવા મોટા પ્રાણીઓથી કે શિકારીઓથી ઘાત પામે છે. તેઓને સુધા - તૃષા ઘણી સહન કરવી પડે છે. સિંહ વનનો રાજા પણ પાંજરામાં પૂરાયો કે બકરી કરતાં પણ રાંક થઈ જાય છે. આ યુગમાં કતલખાનાની વાત જાણો છો એટલે પૂરો ખ્યાલ આવશે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પશુપક્ષી સૌ તિર્યંચ છે. વનસ્પતિમાં જાણે જીવ ન હોય તેમ તેનો ઉપયોગ થાય છે. કીડી, મંકોડાને તો જાણે કોઈ જીવ તરીકે જોતા જ નથી અને દેડકા, વાંદરા, મરઘા, અધધધ તેમને મારવાની પદ્ધતિ પણ ભયંકર છે. તે હવે તો ટીવી જેવા સાધનો દ્વારા જણાય છે. એ સર્વે પૂર્વે કરેલા કર્મોનો વિપાક જાણી તેવા પાપોથી દૂર રહેવા વિચારવું. - મનુષ્યગતિના દુઃખો : ગર્ભથી ઉંધે મસ્તકે રહેવાનું દુ:ખ શરૂ થાય ચિંતનયાત્રા - 30 સંસાર ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy