SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી દુઃખ પામે છે. સુખ તો જીવના અંતરાત્મામાં જ રહેલું છે. ત્યાં દષ્ટિ કરે તો સુખ પામે. જ્ઞાનીજનોએ સંસારને નિઃસાર જોયો, અને તે બુદ્ધિમાન ત્યાં જ સુખ શોધે છે. સંસારમાં તો તું નિપુણ છે. તો પછી સાચું સુખ શોધવામાં કેમ ભૂલ કરે છે ? મિથ્યાભાવમાં ફસાયો છું. સદ્ગુરુ કે શાસ્ત્રબોધ દ્વારા હવે ચેતી જા અને જયાં સુખ છે ત્યાં તારા જ સમભાવભર્યા આત્મા પ્રત્યે દૃષ્ટિ કર તો તને સાચા સુખની પ્રાપ્તિ થશે. અને આ દુઃખદાયી પરાવર્તનથી મુક્ત થઈશ. આવા દુઃખદાયક પરાવર્તનથી અને ભવભ્રમણથી મુક્ત થવા સર્વજ્ઞ એવા વીતરાગનો કહેલો સૈદ્ધાંતિક ધર્મ ગ્રહણ કર. જિનવાણીનું શ્રવણ કર અને આત્મચિ પ્રત્યે તારા પરિણામને જોડી દે. પછી સંસાર ભયાવહ છતાં તું નિર્ભય છું. જિનવાણી ઉત્કૃષ્ટ નિમિત્ત છે. તે વચનો દ્વારા કંઈક જીવો ઉપાદાનને જાગૃત કરી તરી ગયા. જેને ઉપાદાન જાગૃત ન કર્યું તેવા આપણે હજી આ સંસારમાં રઝળીએ છીએ. નિમિત્ત તો શ્રેષ્ઠ અને સબળ છે પણ ઉપાદાન નબળું તો ફળ પ્રાપ્તિ શકય નથી. વળી પુનઃ પુનઃ આત્મ ભાવના જાગૃત રાખવી. વારંવાર ભાવના કરવી કે હું વર્તમાન પર્યાય જેટલો નથી, પૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ છું. સંસાર અસાર છે તેમાં સારભૂત સભ્યત્વાદિ આત્મગુણ છે. સંસાર પરિભ્રમણનું કારણ સ્વઉપાર્જિત કર્યો છે. તે જીવ સાથે સહજ મળની જેમ ચોંટેલા છે. છતાં સ્વભાવગત નહિ હોવાથી નષ્ટ થઈ શકે છે. જીવ કર્મોના ઉદયબંધ સાથે ગ્રસિત હોવાથી તેનો નાશ કરવો વિકટ લાગે છે. પરંતુ જો સરૂનો યોગ મળે જીવ પ્રથમ અશુભભાવખરાબ કર્મો, પાપજનિત ક્રિયાઓ ઘટાડતો જાય, પછી સ્વજ્ઞાનક્ષયોપશમજ્ઞાન વડે શુભકર્મોને-પુણ્ય કાર્યોને સેવતો જાય. તેથી અશુભનો ભાર ઘટવાથી આત્મબળ વધતા શુભકર્મોને પણ ત્યજી શકે છે કે, શુભાશુભ કર્મોમાં હર્ષ શોક કરતો નથી સમભાવે ભોગવી લે છે. સવિશેષ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરતો રહે છે. છેવટે શુભાશુભ બંને કર્મોનો છેદ થતાં જીવ સંસારથી મુકત થાય છે. શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય, અશુભ રે નરાદિ ફળ, ભૈરહિત ન ક્યાંય. -શ્રીમદ્ રાજચંદ્ર કોઈ જીવો માને કે અમને રાગ નથી. પણ ધારો કે તમારા દિકરાને કોઈએ નુકશાન કર્યું તો નુકસાન કરનાર પ્રત્યે તમને ઠેષ થશે કારણ કે ચિંતનયાત્રા સંસાર ભાવના ૨૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy