SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કે મરે તે ક્ષેત્રપરાવર્તનની ગણત્રીમાં ન આવે. તે જ ક્ષેત્રના ક્રમે બીજા જ પ્રદેશે જન્મ મરે તે ગણત્રીમાં આવે. કાળ પરાવર્તન : ઉત્સર્પિણી કે અવસર્વિણીના કોઈ એક કાળના પ્રથમ સમયથી માંડીને અનંતકાળ સુધી અનુક્રમ પ્રમાણે ઉપજે ને મરે વચ્ચે અક્રમ સમય ગણત્રીમાં ન આવે. જેમ કે એક ઉત્સર્પિણીના પાંચમાં આરામાં ૨૦૬૫માં અમુક માસમાં, અમુક દિવસે, અમુક સમયે ઉપજે મરે પછી પાછો તે જ ક્રમમાં તે સમયના બીજા જ સમયે ઉપજે મરે તે ગણાય, પરંતુ વચમાં બીજા આરા કે વર્ષ, તારીખ કે સમય અક્રમમાં થાય તે ગણત્રીમાં ન આવે. ભાવ પરાવર્તન : કષાયાદિ ભાવો અસંખ્યાત લોક પ્રમાણ છે. દરેક કર્મની પ્રકૃતિની જે સ્થિતિ છે (જેમકે જ્ઞાનાવરણની ત્રીસકોટાકોટિ છે) તે પ્રકૃતિઓ અનંત છે તે દરેકને અનુક્રમે એક સમયથી માંડીને અધિક સમય સુધી ભોગવે તેમાં અનંતકાળ જાય. ત્યારે ભાવ પરાવર્તન પૂરું થાય. ભવ પરાવર્તન : જેમકે નરક ગતિનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. ત્યાં જન્મ, મરે, પછી બીજી વાર તે જ ગતિના તે જ સ્થાને પહેલાના સમય પછીના એક સમય અધિક આયુષ્ય લઈને જન્મ, મરે, પછી તે જ સ્થાને ત્રણ સમય અધિક એમ તે જ સ્થાનનું જે આયુષ્ય હોય તે પૂરું કરે. વચમાં અન્યત્ર જન્મે મરે તે ગણત્રીમાં ન આવે. વળી તે જ સ્થાને વધતું ઓછું થાય તે પણ ગણત્રીમાં ન આવે. ત્યારે ભવ પરાવર્તન પૂરું થાય. ચારે ગતિમાં આ પ્રમાણે ગણવું. સામાન્ય રીતે આ પ્રમાણે ટૂંકમાં સમજવું કે આકાશના એક છેડાના પ્રથમ પ્રદેશે જીવે ત્યાંના જે પુગલો ગ્રહણ કર્યા, તે કાળ અન્વયે અવસર્વિણીના પાંચમાં આરાના જાન્યુઆરીની તારીખ ત્રીજીએ નવ વાગે અદ્યવસાય (ભાવ) ગ્રહણ કર્યા અને છોડયા. ઉપજયો અને મર્યો. પછી તે જ કાળે, તે જ આરાના તે જ માસે તે જ તારીખે તે જ સમયે નવ વાગે તેની લગોલગ બીજા સમયે જે ભાવ ગ્રહણ કર્યા હતા તેવા જ ભાવ થાય તે પરાવર્તન ગણાય. વચમાં અન્યત્ર જન્મ, અન્ય પુદ્ગણો ગ્રહે, અન્ય કાળે, અન્ય ભાવે ઉપજે કે મરે તે પરાવર્તનની ગણત્રીમાં ન આવે. આ વાંચીને થશે કે આ કેવી મગજમારી? ભાઈ, આ મગજમારી નથી. પણ જીવની અનંતકાળની કથા અને વ્યથા છે કે કયાં કેવા સ્થાનોમાં અજ્ઞાનવશ કર્મસત્તાના સંકજામાં સપડાઈને રખડ્યો . આમ તો જીવને સુખ ગમે છે સુખની શોધમાં ભમે છે. પણ સુખ કયાં છે તે ખબર નથી ચિંતનયાત્રા સંસાર ભાવના ૨૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy