SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર એ જીવનું સ્વરૂપ નથી કે છોડયું છૂટે નહિ. જીવને પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ પરિભ્રમણનું કારણ છે. ભલે તે અનાદિનું હોય પરંતુ તેનો ક્ષય જ્ઞાની કે યોગી ક્ષણમાત્રમાં કરે છે. “કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર સંસારમાં તારું કાર્ય કેવળ જન્મવું, ધન કમાવું. વ્યાપાર વ્યવહાર કરવો, દેહ ચાવવો, પરિવારમાં ખૂપ્યા રહેવું અને આયુ ક્ષય થયે વિદાય થવું તે નથી. ભાઈ ! જ્ઞાની કહે છે તારો જન્મ, જન્મ ન થવા માટે છે, નિર્વાણ માટે છે ચતુર થઈને આ ફંદામાં તું કયાં ફસાયો ! એ તરફથી દષ્ટિ પરિવર્તન કરી તેને આત્મામાં સ્થિત કર, તેમાં આનંદ પામ તને અનંત સુખની પ્રાપ્તિ થશે. નદીમાં રહેવાવાળો કાચબો પોતાનું ડોકું બહાર કાઢે ત્યારે કેટલાયે પક્ષીઓ તેને ચાંચ મારી હેરાન કરે, બિચારો દુઃખી થાય. પણ જો તે પોતાનું ડોકું પાણીમાં ડૂબાડે તો દુઃખથી છૂટે. તેમ ભાઈ તું તારા ઉપયોગને બહાર રાખીશ તો કર્મોરૂપી પક્ષીઓ તને હેરાન કરશે પણ જો તું તારો ઉપયોગ આત્મામાં લગાવીશ તો તને અનંત સુખ પ્રાપ્ત થશે. પરાવર્તન શું છે ? આ સંસારના પરિભ્રમણના ભયાનક પરાવર્તનને જીવો જાણતા નથી. વળી તે બૌદ્ધિક સ્તરે સમજાય તેવા નથી, કથંચિત જાણે તો પણ પોતાને તેમાં કંઈ લાગતું નથી તેમ માને છે. પણ ભાઈ, કર્મસત્તા ભૂલ થાપ ખાતી નથી તો હવે એ પરાવર્તન શું છે તે જાણવા પ્રયત્ન કરીએ. આ પરાવર્તન પાંચ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ દ્રવ્ય પરાવર્તન (પુલ) : પુદ્ગલ દ્રવ્યનો ગ્રહણ અને ત્યાગ. લોકના અસંખ્યાત પ્રદેશ રહેલા અનંત પ્રકારના જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિના, ઔદારિક આદિ શરીરના તથા નોકર્મના સર્વ પુદ્ગલોને મોહનીયકર્મ વડે સમયે સમયે જન્મ મરણ વડે જીવ ગ્રહણ ત્યાગ કરે છે. તે પણ પહેલા જન્મ જેવા ગ્રહણ કર્યા તેવા જ પુનઃ ગ્રહણ કરે ત્યારે તે દ્રવ્યપરાવર્તનમાં ગણાય. વચમાં જન્મ મરણ સમયે અન્ય પ્રકારના પુગલો ગ્રહણ કરે તે આ પરાવર્તનની ગણત્રીમાં ન આવે. આ પ્રમાણે લોકમાં રહેલા તમામ પુદ્ગલોનો ગ્રહણ ત્યાગ ગણવો તે દ્રવ્ય પરાવર્તન. ક્ષેત્ર પરાવર્તન : સમગ્ર લોકાકાશના દરેક પ્રદેશે શ્રેણીના ક્રમમાં ઉપજે અને મારે તે ક્ષેત્ર પરાવર્તન. ક્રમ ત્યજીને અન્ય ક્ષેત્રે પ્રદેશ ઉપજે ચિંતનયાત્રા સંસાર ભાવના ૨૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy