SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ હે જીવ! સંસાર અનાદિ છે. અનાદિકાળ રહેવાનો છે. જીવમાત્ર અને તું પણ અનાદિના છો, અનંતકાળ રહેવાના છો, તેનો અર્થ તેમાં રહેવાનું નથી. આ ચૌદ રાજલોકમાં ચારગતિરૂપ સંસાર છે, પણ લોકાગ્રે પંચમગતિ છે. માનવ જન્મની સાર્થકતા તે ગતિમાં પ્રયાણ કરવાની છે. અર્થાત્ આત્માને સંસારથી મુક્ત કરી જે સ્વસ્વરૂપનું સ્થાન છે ત્યાં અનંતકાળ સમાધિ સુખમાં રહેવાનું છે. જે મોક્ષ કહેવાય છે. જીવ મોહ છોડે તો મોક્ષ તો તેનું સ્વરૂપ છે, તે તત્પણ પ્રગટ થાય પછી સંસારનું પરિભ્રમણ સમાપ્ત થાય છે. “ન સા જાઈ ન સા જોણી ન ત ઠાણે ન તં કુલું, ન જાયા ન મુઆ પત્થ સર્વે જીવા અનંતસો.” એવી કોઈ જાતિ નથી એવી કોઈ યોનિ નથી એવું કોઈ સ્થાન નથી કે જયાં સર્વે જીવો અનંતવાર જન્મ્યા કે મર્યા ન હોય. કહેવાતા દરેક સંબંધો અનેકવાર ભોગવ્યા ન હોય. તે સંબંધોના અનેકવાર સંયોગ વિયોગ થયા ન હોય, ત્યારે જીવ શોકથી દુઃખી થયો ન હોય? આમ કર્મનો નચાવ્યો આ નટ હજી નાચ્યા કરે છે. પણ ભાઈ ! વિરામ પામ, જાગૃત થા, અને રત્ન ચિંતામણિ જેવો ધર્મ મળ્યો છે તેને આરાધી લે. શાંત સુધારસનું પાન કરી લે. ક્ષણે ક્ષણે સરતા સંસારમાં તને કંઈ પ્રાપ્ત થવાનું નથી. તું જેને વિકાસરૂપ વિજ્ઞાનયુગ કહે છે તે સ્વયં એક મહાજાળ છે. અને એક જ્વાળા જેવો છે. પરંતુ પ્રલોભનની મોહજાળમાં તું એવો અંધ થયો છું કે તારા સ્વયં સુખને જોઈ શકતો નથી. સંસારમાં કોઈ એક સ્થળ કે ક્ષેત્ર નથી કે જયાં જીવે તે સેવ્યું ન હોય. વાસ્તવમાં સંસારનો અર્થ પરિભ્રમણ છે. એક સંસાર બહારનો છે અને બીજો જીવમાત્રમાં કલેશ-મોહરૂપ સંસારસ્વતઃ મનમાં છે. સંકલ્પ વિકલ્પરૂપ આ સંસાર વણથંભ્યો સર્યા જ કરે છે. “સરતિ-સંસરણ ઈતિ સંસાર' એક ભવમાંથી અન્ય ભવમાં, એક ભાવમાંથી અન્યભાવમાં, એક પદાર્થમાંથી અન્ય પદાર્થમાં ભમ્યા જ કરે છે. આ સંસરણ કોઈ જબરજસ્તીથી કરાવતું નથી. જીવને પોતાના સહજ સુખરૂપ સ્વરૂપની પ્રતીતિ ન હોવાથી આ સંસરણ-પરિભ્રમણ ચાલુ છે. છતાં પરિભ્રમણ એ જીવનો સ્વભાવ ન હોવાથી મહાપુરૂષો ગૃહસ્થાવસ્થામાં ભૂમિકાનુસાર ધર્મપ્રવૃત્તિ કરતા રહ્યા, પરોપકારાદિ કરતા રહ્યા. અને જ્ઞાન દ્વારા આત્મઅનુભવમાં રહી વિકલ્પોની જાળને તોડી અનુક્રમે માત્ર આત્મધ્યાનમાં રહી કર્મોને નષ્ટ કરી સ્વયં પરમાત્મસ્વરૂપે પ્રગટ થયા. ચિંતનયાત્રા સંસાર ભાવના ૨૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy