SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથી દૃષ્ટિથી કંઈક વેરાગ્યભાવ હતો પરંતુ મિથ્યાત્વના કારણે સંસારના સુખો ગમતા હતા. આ દષ્ટિમાં સમ્યગુજ્ઞાનના પ્રભાવે વૈરાગ્ય અને વિવેકની જોડી દઢ હોય છે. તત્ત્વાવબોધને કારણે અંતર્મુખતા વિકસતી હોય છે. તેથી બાહા પ્રલોભનોમાં આ જીવો મૂંઝાતા નથી. તેઓ માને છે કે જગતમાં સર્વશ્રેષ્ઠ તો આત્મ તત્ત્વ, પરમ તત્ત્વ છે. ઈન્દ્રિયના વિષયો, તમામ પુલભાવો, પરભાવોને ભયાનક જાણે છે, તે આત્માની વીતરાગતાને બાધક છે. તેથી તેમાં જોડાતા નથી. કર્મના ઉદયે થતા પરભાવો જાણી લે છે અને શાસ્ત્રાદિકનો કે સદ્ગરના બોધનો આધાર લઈ તેનો ઉપશમ કરે છે. “સમતિ સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી, મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરની બહાર કાઢી, રાગદ્વેષ અવિરતિની પરિણતિ ચરણ મોહના યોદ્ધા, વીતરાગ પરિણતિ પરણમતાં, ઉઠી નાઠા બોધા.” -શ્રી મલ્લીજિન સ્તવન, શ્રી આનંદઘનજી. સમક્તિના ભાવની ઉપસ્થિતિમાં પરમાર્થમાર્ગમાં બાધા પહોંચે તેવા કર્મો આ જીવોને બંધાતા નથી. દુર્ગતિ, સ્થાવર દસકપણું, તિર્યંચગતિ, જેવા કર્મો બંધાય તેવા પ્રમદાચરણ કે પાપભાવ આ જીવોને થતાં નથી તે સ્વભાવરૂપ સમ્યગ્રજ્ઞાનનો મહિમા છે. સૂક્ષ્મબોધના કારણે પરિણતિ નિર્મળ હોય છે. તેથી એવો દુર્ગતિયોગ્ય બંધ થતો નથી. - સમકિતી જીવોને સાવધપુણ્ય (સાંસારિક)નો ઉદય ફૂટેલા સોનાના ઘડા જેવો છે, તે જળ ભરવાના કામમાં નથી આવતો પણ તે ટૂકડાની કિંમત ઉપજે છે. તેમ આ જીવો મોક્ષ ન પામે ત્યારે દેવલોક જેવા સુખ પામે તો પણ તેમનો વૈરાગ્ય અને વિવેક જાગૃત રહે છે. તેવું સમક્તિનું માહભ્ય છે. મિથ્યાષ્ટિ જીવના પાપાનુબંધી પુણ્યને માટીના ઘડાની ઉપમા આપી છે. તે સાજો હોય તો પણ અલ્પ કિંમતનો હોય છે. અને ફૂટી ગયા પછી તો તેના ટૂકડા કંઈ કામમાં આવતા નથી. તે પ્રમાણે આ જીવોને પુણ્યથી તુચ્છ સુખો અલ્પ સમય માટે મળે. પરિણામે દુઃખની પરંપરા સર્જાય છે. સમ્યગુદૃષ્ટિ જીવનું જ્ઞાન વૈરાગ્ય સહિત અને નિર્મળ હોવાથી તે જાણે છે કે એક માત્ર આત્મત્વજ સુખરૂપ છે. કર્મના ઉદયે પૌલિક ભાવો ઉઠે છે. પરંતુ તે મારો પરભાવ છે તેમ જાણે છે, પ્રતીતિ છે, એટલે યોગદષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૬O For Private & Personal Use Only સ્થિરાદેષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy