SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ તેની આસક્તિથી સુભૂમ ચક્રવર્તી જેવા છ ખંડના અધિપતિ છતાં મળેલા ભોગોથી ધરાયા નહીં, તો પાપકર્મો બાંધી દુર્ગતિ પામ્યા. આમ પૂર્વબદ્ધ પુણ્ય કર્મોદયના બે પ્રકાર છે. એક પુણ્ય અનાસકતભાવે ભોગવે અને વિવેકના કારણે બધું ત્યજીને શુદ્ધ ધર્મને આરાધી મુક્તિ તરફ લઈ જાય તેવું પુણ્યાનુબંધી પુણ્ય જે ભોગો આપે અને છોડાવી પણ દે, છૂટી પણ જાય. ભરત ચક્રવર્તી જેવા. જયારે બીજા પ્રકારનું પુણ્ય ધર્મના બદલમાં માંગેલા ભોગો પાપબંધ કરાવવાવાળું, અંતે દુર્ગતિને લઈ જનારું પાપાનુબંધી પુણ્ય છે. ભોગસામગ્રી મળે પણ પરિણામે તે પાપમય છે. અજ્ઞાનવશ જીવો આ પરિણામ જાણતા નથી અને ખાડો ખોદી પોતે જ પડે છે. તે સુભૂમ ચક્રવર્તી જેવા હોય છે. મિથ્યાર્દષ્ટિ પાપાનુબંધી પુણ્યવાળો હોય છે. સમક્તિી પુણ્યાનુબંધી પુણ્યવાળો હોય છે. વિષય વિકારે ન ઈન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. -આ. દે. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. પાંચમું યોગાંગ-પ્રત્યાહાર : પ્રત્યાહાર એટલે ઈન્દ્રિયોના સ્પર્શ, રસ, ગંધ વર્ણ અને શબ્દાદિના પૌદ્ગલિક વિષયોનો નિરોધ, આ દૃષ્ટિવાળા જીવો વિષયસુખને હેય માને છે. કારણ કે વેદ્યસંવેદ્યપદના પ્રભાવે વેદન કરવા યોગ્ય પદાર્થ આત્માના પરિણામ સ્વરૂપ આત્મસ્વભાવ છે. આત્મા અન્ય પદાર્થને સ્પર્શતો જ નથી તો વેદન કેવી રીતે કરે ? આત્માનો ચૈતન્ય સ્વભાવ અને વિષયોનો જડ સ્વભાવ અત્યંત ભિન્ન છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ જ નથી તો પરપદાર્થથી સુખનું વેદન કેમ થાય ? આવા સૂક્ષ્મબોધને કારણે સ્થિરાદેષ્ટિવાળો જીવ વૈદ્ગલિક પદાર્થો પ્રત્યે અનાસક્ત હોય છે. અને આત્મ સ્વરૂપમાં રમણતા હોય છે. તે આ પ્રત્યાહારનું લક્ષણ છે. છતાં હજી આ જીવો તદ્ન પૂર્ણ અવસ્થાને પામ્યા નથી. તેથી અલ્પાંશે પાપજનિત સાંસારિક પ્રવૃત્તિ હોય છે, કર્મના ઉદયે કામ-ક્રોધાદિવશ પાપ પ્રવૃત્તિ કરતા હોય છે, પરંતુ જેમ સાપ હાથમાં લેતા ડરે તેમ પાપથી ડરતા હોય છે. વળી રોગાદિમાં ઔષધ ન છૂટકે લેવું પડે છે, તેમ મોહના ઉદયે પાપપ્રવૃત્તિ કરવી પડે છે. સુખ સંપત્તિ મળે પણ ભોગવવા જેવી માનતા નથી. ધન મેળવવા ઈચ્છે ત્યારે પણ નીતિનિયમનું પાલન કરે, છતાં તે મેળવવામાં હેય માને છે. યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૫૯ For Private & Personal Use Only સ્થિરાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy