SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સંયોગ વિયોગમાં હર્ષ શોક કરતા નથી. તે ઋષભાદિ કે ચક્રવર્તીઓની આશ્ચર્યજનક ઋદ્ધિ-સિદ્ધિઓ પણ શાશ્વત ન હતી. સંસારના દેહાદિ કોઈના પણ કયારેય શાશ્વત હોતા નથી. તો પછી સામાન્ય પુણ્યયોગનો મોહ શા માટે ? આમ વિચારીને આ જીવો વૈરાગ્યભાવનાને પુષ્ટ કરે છે. બાલ ધુલિઘર લીલા સરખી, ભવચેષ્ટા ઈહાં ભાસેરે; રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસેરે, શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનનેરે; ધર્મ જનિત પણ ભોગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. -આ. દે. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. ચંદનનો ગુણ શીતળ છે પણ એ જ ચંદનના વનમાં આગ લાગે તો આગ કંઈ શીતળ ન હોય, તે તો દાહક છે. પાણીનો ગુણ શીતળ છે પણ ઉકળતું પાણી હાથને બાળે. તેમ ગમે તેવું પુણ્ય હોય તો પણ કર્મપ્રકૃતિ છે. તે પુણ્યથી મળતા સુખમાં ભોગ બુદ્ધિ થવી તે ભ્રમ છે. એટલે આ દૃષ્ટિવાળો એવા પુણ્યને પણ હેય માને છે. સુખ પ્રાપ્ત થવા તે પુણ્યયોગ છે છતાં તે ભોગોની આક્તિ પાપનો અનુબંધ કરાવનારી છે તે પાપાનુબંધીપુણ્ય છે. તેથી જ્ઞાનીને તેવી ભોગબુદ્ધિ થતી નથી. આ દૃષ્ટિમાં આવેલા જીવને સૂક્ષ્મબોધને કારણે આત્મામાં રહેલું સ્વાભાવિક કેવળજ્ઞાન જ પરમતત્ત્વ ભાસે છે. તે સિવાય અન્યભાવો પીડાકારી લાગે છે. આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત કેવળજ્ઞાન જ પૂર્ણ જ્ઞાનતત્ત્વ છે. આ કેવળજ્ઞાનના પ્રગટવાથી જીવ સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. આ પરમ તત્ત્વ સિવાય બાકીના સર્વભાવો પૌદ્ગલિક, કર્મજનિત, હોવાથી દુ:ખદાયી છે. પાપકર્મ દ્વારા પૂર્વના પુણ્યયોગે મળેલો ભોગસમૂહ અનર્થકારી છે. પરંતુ ધર્મ દ્વારા પુણ્યયોગે મળેલા ભોગાદિ પણ અનર્થકારી છે. અગ્નિ ચંદનના લાકડાનો હોય તો પણ બાળે. તેથી વેદ્યસંવેદ્યપદના વિવેકવાળા જીવો ભોગસુખમાં સુખ માનતા નથી. ભરત ચક્રવર્તી જેવાના સુખ તો અલૌકિક હતા છતાં ત્યજીને ચાલી નીકળ્યા. શાલિભદ્ર હતા બડભાગી, રિદ્ધિ મળી હતી વણમાગી, કિંતુ એક દિન બધું ત્યજીને એણે દીક્ષા લીધી.'' વળી પૂર્વજન્મમાં નિયાણું કરીને ભોગ-સુખની સામગ્રી મેળવી પણ યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૫૮ For Private & Personal Use Only સ્થિરાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy