SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ તેને હેયરૂપ માની નિશ્ચયથી આત્મા શુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે તેવી શ્રદ્ધા છે. તેથી ઉદય સમયે પણ આત્મા આત્માના સ્વભાવમાં છે. અને પરભાવ પરભાવમાં છે તેમ નિશ્ચયથી માને છે, સમજે છે. સ્થિરાદેષ્ટિમાં નિશ્ચયનયની સમજ છે પરંતુ હજી તેવા પરિણામની દઢતા નથી. સમજણને કારણે તે જીવોની પ્રવૃત્તિમાં પ્રત્યાહાર-ઈન્દ્રિયોના સંયમ, નિરોધની પ્રધાનતા હોય છે. તે જીવી જાણે છે કે સંસારનું સુખ ઉદય જન્ય છે, કર્મનો ઉદય પાપ-પુણ્યરૂપે હંમેશા મિશ્રિત હોય છે. સંસાર સુખ દુઃખથી મિશ્રિત હોય છે, ધન પુણ્યથી મળે પણે તે કમાવા, સાચવવા, ભોગવવામાં આકુળતા રહે છે. સંસારમાં ગમે તેવા ઉત્કૃષ્ટ પુણ્યવાળી વ્યક્તિને પણ અતિ અલ્પ અંશમાં પાપનો ઉદય હોય, દેહધારી હોય એટલે સુધી તૃષા આદિ લાગે. તીર્થકરોને શ્યામવર્ણ હોય છે. તે અશુભપ્રકૃતિનો ઉદય હોય છે, પરંતુ તેઓની અન્ય પુણ્ય, પ્રકૃતિઓ અતિ ઉત્કૃષ્ટ હોય છે તેથી તે અશુભ પ્રકૃતિઓ અશુભ રહેતી કે મનાતી નથી. જેમ એક ઘડામાં લીમડાનો રસ અલ્પ સમય માટે ભર્યો હોય, પછી તરત જ તેને કાઢી લેવામાં આવે, વળી ઘડો સાફ કરવામાં આવે. પછી તેમાં શરડીનો રસ ભરવામાં આવે તો તેમાં ભલે કડવાશનો સ્પષ્ટ ખ્યાલ ન આવે, છતાં કોરા ઘડામાં ભરેલા રસ કરતા તેમાં અતિ અલ્પ અસરને કારણે તે રસ ઉતરતી કક્ષાનો ગણાય. સ્વાદનિપુણ, ગંધનિપુણ, તરત જ પારખી લેશે. આમ પુણ્યના જોરદાર ઉદયમાં વચ્ચે નબળી પાપપ્રકૃતિઓનો સ્પષ્ટ ખ્યાલ ન આવે છતાં તેની અલ્પતમ અસર હોય છે. તેમ અતિ પુણ્યોદય હોય તો પણ, છાસ્થને આંશિક પાપપ્રકૃતિનો ઉદય હોય તે જણાતો નથી. સામાન્ય જીવોની એવી માન્યતા હોય છે કે ધર્મથી પુણ્ય બંધાય અને સુખભોગ મળે. વાસ્તવમાં શુભભાવથી પુણ્ય બંધાય છે. ધર્મ સ્વભાવ સ્વરૂપ હોવાથી પુણ્યપાપનો હેતુ થતો નથી છતાં ધર્મ અને પુણ્યપાપના બંધ અનુબંધની સ્પષ્ટતા કરવા શાસ્ત્રકાર જણાવે છે. કે આ ધર્મ બે પ્રકારે છે (૧) અતાત્ત્વિક (૨) તાત્ત્વિક. (૧) અતાત્ત્વિક : હેય ઉપાદેયના વિવેક રહિત પ્રણિધાનાદિ ભાવધર્મથી રહિત એ અતાત્ત્વિક છે. તે જીવો તે તે પ્રકારના શુભભાવથી પુણ્ય બાંધે છે તે પાપાનુબંધી પુણ્ય છે. તે પુણ્યથી ભોગબુદ્ધિયુક્ત સુખો મળે છે જે પાપનો અનુબંધ કરાવી જીવને રખડાવે છે. યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૬૧ For Private & Personal Use Only સ્થિરાદેષ્ટિ Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy