SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અસંમોહ બોધવાળાને અનુષ્ઠાનોમાં અત્યંત આદર હોય છે. ઉત્તમ પુરૂષાર્થ હોય છે, અત્યંત પ્રતિભાવ હોય છે. શુભભાવનાના પ્રચંડબળથી તેમના અનુષ્ઠાન વિશ્વ વગરના હોય છે. આ અમૃતઅનુષ્ઠાન તત્કાળ ફળદાયક હોય છે. જે ધર્માનુષ્ઠાન કરે તેમાં સંપૂર્ણ વિધી જાણવાનીપામવાની તીવ્ર જિજ્ઞાસા હોય. તે પ્રમાણેના જ્ઞાનવાળાની તે આદર સેવા કરે છે. સવિશેષ ગુરુજનોની ભક્તિ કરી કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાય છે તે નિકટભવી હોય છે. ચાર દષ્ટિનો સારાંશ : (૧) મિત્રાદેષ્ટિ : મુક્તિમાર્ગમાં જીવને જયારે મુક્તિ પ્રત્યે રૂચિ (અષ) થાય છે ત્યારે મુક્તિપંથનો પ્રારંભ થાય છે. ત્યારથી યોગદષ્ટિ શરૂ થાય છે. તેમાં પ્રથમ દૃષ્ટિ મિત્રાદેષ્ટિ છે. અહીંથી આધ્યાત્મિક વિકાસનો ક્રમ શરૂ થાય છે. જગતમાં જેમ મિત્રો હિત પ્રત્યે લઈ જાય છે તેમ આ દષ્ટિ આત્મહિત પ્રત્યે લઈ જનારી હોવાથી મિત્રા દૃષ્ટિ કહેવાય છે. આ દષ્ટિમાં જ્ઞાન-બોધ અતિઅલ્પ તૃણાગ્નિ કણ જેવો હોય છે. એ બોધમાં આત્મબળ દીર્ઘકાળ ટકતું નથી. બોધ ગ્રહણકાળે કંઈક ભાવ થાય પછી તરત જ સાંસારિક સુખ પ્રત્યે દોરવાઈ જાય. છતાં આ માર્ગની રૂચિને કારણે ખેદ કંટાળો આવતો નથી. વળી વ્રતાદિને કારણે મંદગતિએ પણ ધર્મમાર્ગમાં ટકી રહે છે. તેથી મિથ્યાત્વ મંદ થતું જાય છે. તેમ જ દેવ ગુરુ ભકિત, વૈયાવચ્ચ, શાસ્ત્ર શ્રવણમાં આદર રાખે છે. આથી ભાવમળનો ક્ષય થતો જાય છે. ભવસ્થિતિ પરિપાક થાય છે. તેથી સમક્તિની પ્રાપ્તિના ચિહનોરૂપ ચરમયથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ થાય છે. તેથી વળી આ માર્ગમાં આગળ વધવાના શુભ નિમિત્તો તેમાં વિશેષપણે ગુરુનો બોધ પ્રાપ્ત થાય છે. આત્મહિતની ભાવના કેળવાય છે. (૨) તારાદષ્ટિ : યોગદષ્ટિના પ્રવેશ પછી જીવ અધ્યાત્મમાર્ગમાં આગળ વધે છે આ દૃષ્ટિમાં છાણાગ્નિ જેવો કંઈક વધુ સ્પષ્ટ બોધ હોય છે. જો કે મિથ્યાત્વની મલિનતા હોવાથી આ દૃષ્ટિનો બોધ પણ અલ્પકાલીન છે. છતાં હેય, ઉપાદેયનો વિવેક કંઈક અધિક હોય છે. છતાં વૈરાગ્યભાવ ટકતો નથી. મોહના નિમિત્ત મળતા તે ભાવના નિસ્તેજ બને છે. આ દૃષ્ટિમાં ધર્મપ્રત્યે કર્તવ્યબુદ્ધિ હોવાથી તેને ધર્મક્રિયામાં કંટાળો આવતો નથી, મિત્રાદેષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં દેવભક્તિ, ગુરુસેવા, નિશ્રા, શાસ્ત્રશ્રવણ, વ્રતાદિમાં રૂચિ વિશેષ થાય છે. ગુરુજનો પ્રત્યે અતિ આદર રાખે છે. પુનઃપુનઃ તેમની નિશ્રામાં સમય ગાળે છે. જેથી અશુભ નિમિત્તોની હાનિ થાય છે. પાપપ્રવૃત્તિને છોડતો જાય છે. સંસાર દુઃખરૂપ છે તેનું યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદષ્ટિ ૨ ૪૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy