SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામી વર્ણ કે આકૃતિ ભેદ હોવા છતાં તે સર્વજ્ઞપણે સમાન છે. તેઓની ભક્તિ, લોકોત્તર માર્ગની હોવાથી લોકોત્તર ફળયુક્ત છે. જૈનદર્શનમાં સંસારી દેવો, વૈક્રિય દેવોની ભક્તિપૂજા થાય છે. તેમ અન્ય દર્શનકારોમાં સંસારી દેવો અનેક પ્રકારના છે. તેઓમાં સર્વજ્ઞતા કે વીતરાગતા નથી. તેમને પૂજનારા પણ સંસારના સુખની આકાંક્ષાવાળા છે. તે લોકોત્તરભક્તિ નથી તે સંસારના ફળનું કારણ છે. ધર્મઅનુષ્ઠાન સમાન હોવા છતાં આશયભેદથી ફળનો ભેદ થાય છે. તે ભેદના ગ્રંથકારશ્રીએ ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. (૧) બુદ્ધિ (ર) જ્ઞાન (૩) અસંમોહ (ભ્રાંતિરહિત) (૧) બુદ્ધિ : માત્ર પાંચ ઈન્દ્રિયોના વિષયોના આશ્રયે કેવળ બુદ્ધિપૂર્વકનું અનુષ્ઠાન તેમાં કોઈ ઉંડાણ કે પારમાર્થિક ભાવ નથી. આ જીવો તીર્થયાત્રા કે અનુષ્ઠાન કરતાં હોય તેને આંખ વડે જોઈને કે કાન વડે શ્રવણ કરીને યાત્રા વગેરે કરે તે બુદ્ધિરૂપ બોધ છે. કોઈ તીર્થયાત્રાએ જાય તે વિચારે કે ત્યાં ખાવાપીવાનું સારું છે, સગવડ સારી છે, એ.સી. બસમાં જવાનું જલસા છે. ધર્મનો ધર્મ અને સુખ સગવડની મજા. આ આશય બુદ્ધિ પ્રધાન છે તેનું પરિણામ પણ સામાન્ય પુણ્ય સુધી જ પહોંચે છે. પારમાર્થિક લાભ નથી. વિષયસુખના આશ્રયે ધર્મ અનુષ્ઠાનની ભાવના રાખે છે તે બુદ્ધિરૂપ બોધ, જે સંસાર ફળનો હેતુ બને છે. (૨) જ્ઞાન : આગમપૂર્વકનો બોધ, જેમાં હેય ઉપાદેયનો વિવેક છે. બોધપૂર્વકનું ધર્માનુષ્ઠાન છે. વળી તે તે ઉપાસનામાં પ્રશસ્તતા હોવા છતાં કંઈક અંશે શ્રદ્ધાવાન છે. તેના અનુષ્ઠાન શાસ્ત્રાનુસારી હોય છે. તેમાં બુદ્ધિના આશયની જેમ સુખ સગવડતાની મુખ્યતા નથી, કે ઝટપટ ક્રિયા પતાવી દેવાની આકૂળતા નથી. આ બોધવાળા જીવો યાત્રાદિ કરે તો તેમાં ગુરુ વગેરેની નિશ્રામાં રહે છે. યાત્રાદિનું માહાભ્ય જાણી લે છે, અને પરમાર્થની ભાવનાયુક્ત હોય છે. આમ આગમ શાસ્ત્રોના આધારે વિવેકસહ ધર્મ અનુષ્ઠાન કરવાની ભાવના જે જ્ઞાનરૂપ બોધ છે તે પરંપરાએ મોક્ષફળ દાતા છે. (૩) અસંમોહ : અનુષ્ઠાન યુક્ત જ્ઞાન. આ બોધ સર્વશ્રેષ્ઠ છે. આ બોધ વાળાને મોહ મૂંઝવતો નથી. શાસ્ત્રોના શ્રવણ, મનન દ્વારા વિધિનું જ્ઞાન પરિપૂર્ણ મેળવવું અને તે પ્રકારે કરવું તે સદ્અનુષ્ઠાન છે. તે અસંમોહ (મોહ-મૂછરહિત) અર્થાત્ સદ્અનુષ્ઠાનના જ્ઞાનપૂર્વક જીવનમાં આચરણ કરવું તે અસંમોહ કહેવાય છે. આ અનુષ્ઠાન અમૃતક્રિયારૂપ હોવાથી યોગીજનોને અલ્પકાળે મુક્તિનું કારણ બને છે. યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ - ૨૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy