SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ભાન થાય છે. તેનાથી કેમ છૂટાય તેવી ભાવના કરે છે. આમ મિથ્યાત્વ ઘણું મંદ થતું જાય છે. અને વિકાસક્રમ વૃદ્ધિ પામે છે. (૩) બલાર્દષ્ટિ : આ દૃષ્ટિમાં કાષ્ટના અગ્નિની ઉપમાવાળો બોધ કે જે પ્રથમની બે દૃષ્ટિ કરતાં વિશેષ હોય છે. આથી સ્થિરતાવાળા ચિત્તને કારણે આસનની સ્થિરતા થાય છે. આગળની બે દૃષ્ટિ કરતાં મિથ્યાત્વ અતિ મંદ છે. આ દૃષ્ટિવાળા જીવોને ખોટી વાસનાઓ વિરામ પામે છે. અને મોક્ષ પ્રત્યેની રૂચિ વૃદ્ધિ પામે છે. આ દૃષ્ટિવાળા જીવોને ભોગમાં હેયબુદ્ધિ અને યોગમાર્ગમાં ઉપાદેયબુદ્ધિ સ્થિર થાય છે. તેથી ધર્માનુષ્ઠાન પણ સ્થિરતાપૂર્વકના હોય છે. ખાન પાન, ગૃહ પરિવાર, વસ્ત્રાદિમાં મૂńરહિત પ્રવૃત્તિ કરે છે. ઉપકરણાદિમાં મર્યાદા રાખે છે. આમ પ્રથમ બે દષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં જીવ યોગમાર્ગમાં દૃઢ થતો જાય. જો કે હજી મિથ્યાત્વનો ઉદય હોવાથી ચલિત થવાના ભયસ્થાન છે. પરંતુ ગુરુજનોના નિયમિત સમાગમ અને બોધથી માર્ગમાં સ્થિર થતો જાય છે. શાસ્રશ્રવણમાં વિશેષ ઉલ્લાસ રહે છે. (૪) દીપ્રાદૅષ્ટિ : આ દૃષ્ટિમાં મિથ્યાત્વની હાજરી છતાં યોગમાર્ગની રૂચિ બળવાન હોવાથી જીવ આગળ વધે છે. ચરમાવર્તની સ્થિતિથી આગળ વધી અપુનબંધક આદિ અવસ્થાઓમાં સફળતાપૂર્વક ટકે છે. ગ્રંથિદેશ પાસે આવી સમાભિમુખ થાય છે. યોગમાર્ગને બાધક એવા દોષોનો ત્યાગ કરી ધર્મ આરાધના માટે પ્રાણનો પણ ત્યાગ કરવા જેવું દૃઢ મનોબળ હોય છે. ગુરુભક્તિ આદિમાં નિરંતર તત્પર હોય છે. પ્રભુભક્તિમાં અંતરમુખતાને કારણે પ્રભુના ગુણનું દર્શન થાય છે. જો કે હજી મંદ મિથ્યાત્વનો ઉદય હોવાથી અવેધવેદ્યપદવાળો હોવાથી સૂક્ષ્મબોધ, અતીન્દ્રિયજ્ઞાનનો બોધ પ્રાપ્ત થયો નથી. પણ જેમ વૃક્ષ પર પીળું થયેલું પાન ક્ષણમાત્રમાં ખરી પડે તેમ આ જીવ ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લેશે. આ દૃષ્ટિવાળા જીવોને તે સમયની આરંભાદિ પાપ પ્રવૃત્તિ પણ છૂટી જાય છે. પ૨ને સૂક્ષ્મરીતે પણ પીડા ન આપે, પરોપકાર કરે, વડીલો, ગુરુજનો, સંતો વગેરેની આદરપૂર્વક સેવા ભક્તિ કરે, કર્મવશ પાપ પ્રવૃત્તિ કરનારા પ્રત્યેપણ કરૂણા ઉપજે. એમ અનેક ગુણો પ્રગટે છે. યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૫૦ For Private & Personal Use Only દીપ્રાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy