SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ આ દષ્ટિવાળા જીવોમાં ખેદ, ઉદ્વેગ, ક્ષેપ તથા ઉત્થાન જેવા દોષો નષ્ટ થવાથી તેઓ માનસિક સુખશાંતિ અનુભવે છે તેથી તેઓનું ચિત્ત અનુકૂળ, પ્રતિકૂળ સર્વ પરિસ્થિતિમાં ઉપશાંત રહે છે. અર્થાત આ જીવ યોગમાર્ગમાં સ્થિર થયો છે. આગળની ભૂમિકાઓના વિકાસને કારણે હવે તે માર્ગમાં પ્રશાંત રસયુક્ત સ્થિર થયો છે. તેને ઉત્થાનદોષ લાગતો નથી. કથંચિત જ અસ્થિરતા આવી જાય તો પ્રાપ્ત કરેલી સિદ્ધિ હારી જવાય. દોષો પાછા આવે તે માટે સાધક સાવધાન રહે છે. ગુણપ્રાપ્તિ - તત્ત્વ શ્રવણ : દીપ્રાદેષ્ટિમા તત્ત્વના બોધમાં જીવની શ્રદ્ધા વધુ બળવાન બને છે. એક પછી એક આગળની દૃષ્ટિ અન્યોન્ય પૂરક થઈ સાધકને ઉપરની ભૂમિકામાં પ્રવેશ કરાવે છે. ગુણ તત્ત્વના બોધનો જ છે. પ્રથમ દૃષ્ટિથી જ તત્ત્વમાં પ્રવેશ થઈ ચૂકયો છે. તે ક્રમશઃ આ દૃષ્ટિમાં તત્ત્વનું શ્રવણ પરિણમન વાસ્તવિક થાય છે. ઉત્થાનદોષના અભાવથી, પતિત થવાના અભાવથી, ચિત્તમાં પ્રશાંતવાહિતા વહેતી હોવાથી તત્ત્વનું શ્રવણ હૃદયસ્પર્શી બને છે. તત્ત્વના મર્મને સમજે છે. તત્ત્વશ્રવણના બોધથી તે સ્વ-પરનો ભેદ સમજતો થયો છે. પૌગલિક પદાર્થો અને ચૈતન્યસ્વરૂપ-આત્મા ભિન્ન છે. પુદ્ગલકર્મ પુદગલમાં પરિણમન કરે છે. આત્મા સ્વસ્વરૂપમાં પરિણમન કરે છે. એક બીજાનું કાર્ય કરી શકે તેવો અન્યોન્ય સ્વભાવ નથી. આવા બોધથી આ દૃષ્ટિવાળા જીવો આત્મિક સુખ અને પૌલિક સુખનો ભેદ સમજે છે. પુદગલ જડ છે, પરપદાર્થ છે તેનામાં આત્મિક સુખ આપવાની યોગ્યતા જ નથી. ધર્મથીસ્વભાવથી જ સુખ છે, તેવી દઢ શ્રદ્ધાબળે પ્રાણાતે ધર્મને છોડતો નથી. દેહ જતો કરે પણ ધર્મનો ત્યાગ કરતો નથી. કોઈ અભિગ્રહ, તપ કે પચ્ચકખાણ લીધા હોય અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, દેહ રોગાદિથી પીડા પામતો હોય, રાજ્યાદિના સંકટો આવે તો પણ અભિગ્રહ કે તપાદિનો ત્યાગ કરતો નથી, દેહ જતો કરે છે. તે સમજે છે કે દેહ તો આયુષ્યકર્મને આધીન છે. મારા વિચારથી બચવાનો નથી. અને ધર્મનો સંસ્કાર તો મુક્તિ સુધી સાથે રહેવાનો છે માટે ધર્મની રક્ષા માટે પુરૂષાર્થ કરે છે. કથંચિત પ્રમાદ થઈ જાય તો તેને તેનો અતિશય રંજ છે પણ ઉપાદેય બુદ્ધિ થતી નથી. ધર્મ જ ભાવપ્રાણ છે. તેવી સમજથી દેહાદિ દ્રવ્યપ્રાણો વહાલા છતાં તેની ઉપેક્ષા કરે છે. સંસારના દુઃખો દૂર કરવાનું સાધન માત્ર ધર્મ છે તેમ માને છે. “ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંક્ટ પડેજી, જુઓ એ દષ્ટિનો મર્મ. મન.” -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી ww દીપ્રાદેષ્ટિ,00 યોગદષ્ટિ સમરા. Jain Education Interional ૨ ૪૧ For Private & Personal Use Only www.ja mellorary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy