SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કોઈ સાધકે અટ્ટમ, અઠ્ઠાઈનું પચ્ચખાણ લીધું હોય ને કંઈ અવકળા થાય તો પણ પચ્ચકખાણનો ભંગ કરે નહિ. શરીરમાં રોગાદિ થાય તો આચારની મર્યાદા રાખી ઔષધાદિ કરે, પરંતુ દેહ ખાતર અભક્ષ્યાદિ પદાર્થો ગ્રહણ ન કરે. તત્ત્વશ્રવણના બોધથી તેને દેહ અને આત્માની ભિન્નતાનો બોધ થયો છે. હજી અનુભૂતિ સુધી પહોંચ્યો નથી પણ શ્રદ્ધા બળવાન હોય છે. આ દૃષ્ટિવાળા જીવને સંસાર અને મોક્ષ બંનેનું યથાર્થ ભાન થાય છે. મોક્ષ જ તત્વરૂપ છે. સંસાર અતજ્વરૂપ છે. શાસ્ત્રકાર ખારા અને મીઠા પાણીના તફાવતથી સમજાવે છે. મીઠા પાણીના યોગથી જેવો ધાન્યાદિના બીજનો વિકાસ થાય છે, તેવો ખારા પાણીના યોગથી ધાન્યાદિના બીજનો વિકાસ થતો નથી. તેમ આધ્યાત્મિક ધર્મરૂપ બીજનો વિકાસ તત્ત્વ શ્રવણરૂપ મીઠાપાણી અર્થાત શ્રદ્ધાથી થાય છે. બીજમાં મીઠાપાણીને જાણવાનું જ્ઞાન નથી પણ સ્વભાવતઃ સંસ્કાર-સંવેદન છે. તેથી મીઠા પાણીનો યોગ મળતા બીજમાં ધાન્યના અંકુરો ફૂટે છે. તેમ આ દષ્ટિમાં સમ્યકત્વ જેવો સૂક્ષ્મબોધ કે આત્મિક અનુભૂતિરૂપ સંવેદન નથી છતાં તે મર્મને પામે છે. મિથ્યાત્વનો વિકાર હોવાથી સૂમબોધ, ભેદજ્ઞાનને પામી નહિ શકે. છતાં તે તત્ત્વબોધ દ્વારા હેય ઉપાદેયને જાણી શકે છે. “તત્વ શ્રવણ મધુરો દકેજી, ઈહાં હોયે બીજ પ્રરોહ ખાર ઉદક સમ ભવ ત્યજી, ગુરુભક્તિ અદ્રોહ.” -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી યદ્યપિ હજી સમ્યકત્વ પામ્યો નથી. હજી સાંસારિક સુખની અલ્પ અસર છે. ધર્મની આરાધના કે રક્ષા સિવાયના કાળમાં પ્રમાદથી કે પૂર્વ જન્મના નિકાચિત કર્મના ઉદયથી વિષયાદિમાં પ્રવૃત્તિ કરતો હોય છે, કષાયો થઈ જાય તેનો રંજ છે. વિવેક જાગૃત હોવાથી તેમાં રાચી જતો નથી. પણ ધર્મના માહાભ્યને જાણે છે. તે જાણે કે જગતમાં ભેગું કરેલું ભેગુ આવતું નથી. ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, પરિવાર આ જન્મના સંયોગો છે. ઋણાનુબંધ પૂરા થતાં સૌ પોતાના કર્મ પ્રમાણે ફળ પામે છે. કોઈ કોઈની સાથે જઈ શકતું નથી. તત્ત્વશ્રવણનો લાભ મળે તેવા ગુરુજનોની ભક્તિ તથા વૈયાવચ્ચ મન-વચન-કાયા ના ઉત્તમ ભાવથી કરે છે, અર્થાત્ ગુરુભક્તિ કર્યા વગર તે રહી શકતો નથી. ગુરુજનો જયાં જયાં વિચરતા હોય ત્યાં તેમના પગલાં પકડી પહોંચી જાય છે. તેમની નિશ્રામાં નિષ્ઠાપૂર્વક તત્ત્વશ્રવણ કરે છે. તેને કારણે સમ્યકત્વને કારણભૂત વિવેક જન્મે છે. ગુરુભક્તિના પ્રભાવથી યોગદષ્ટિ સમુચ્ચય ૨૪ર દીપ્રાદષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy