SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણતા પામ્યા છે તેમને અનુસરવું તે હિતકારી, પરમ શ્રેષ્ઠ માર્ગ છે. (૨) અનુમાન : સાધન અને સાધ્યને યુક્તિપૂર્વક સમજવા તે અનુમાન છે. જેમ મોક્ષ એ સાધ્ય છે, અને સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર સાધન છે. છદ્મસ્થ આત્માઓ આ સાધ્ય કે સાધનને અનુભવથી કે શાસ્ત્રબોધ વડે અનુમાન કરી સાધનાને સ્વીકારી સાધન વડે સાધ્યસિદ્ધિ કરે છે. એ રીતે અતીન્દ્રિય પદાર્થો અનુમાન કે શ્રદ્ધાગમ્ય બને છે. તે બીજો ઉપાય છે. (૩) યોગાભ્યાસ રસ : અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનનો અને ઉત્તમતત્ત્વની પ્રાપ્તિનો ત્રીજો ઉપાય યોગ-ધાર્મિક અનુષ્ઠાનોમાં ચિત્તને વારંવાર જોડવું (યોગાભ્યાસ). ક્ષમાદિ ધર્મોનું વારંવાર સેવન કરવું. જીવનમાં તે તે અનુષ્ઠાનોનો સાક્ષાત્કાર કરવાનો જે રસ (આનંદ) વડે ઉત્તમ તત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. આવા યોગનો વારંવાર અભ્યાસ કરવાથી ક્રમે ક્રમે જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મનો અધિક અધિક ક્ષયોપશમ થાય છે. અને વીર્યાન્તરાયકર્મ ક્ષીણ થતું જાય છે. તેમાં કયારેક લબ્ધિઓ પ્રગટ થાય છે. સવિશેષ પારમાર્થિક તત્ત્વની પ્રાપ્તિ થાય છે. છદ્મસ્થનું જ્ઞાન અપૂર્ણ હોય છે. તેણે સર્વજ્ઞની દેશના માટે વિરોધ કે તર્ક ન કરવા. તેમ કરવાથી સંસારની વૃદ્ધિ થાય છે. સર્વજ્ઞની વાણી નિર્દોષ હોય છે. સંસારનું સ્વરૂપ જેવું જાણ્યું, અનુભવ્યું તેવું જ જણાવે છે. શ્રોતાજનો પોતપોતાની યોગ્યતા પ્રમાણે બોધ ગ્રહણ કરે છે. મોક્ષનો માર્ગ તો એક જ છે. દોષક્ષય-ઉત્થાન : એટલે સ્ખલના, ક્ષોભ, રૂકાવટ. યોગદશામાંથી મનનું ઉઠી જવું. યોગદૃષ્ટિમાં ઉત્તરોત્તર દોષક્ષય થાય છે. મિથ્યાત્વના ઉદયે અપ્રશસ્ત કષાયોમાં રૂચિપૂર્વક પ્રવૃત્તિ કરવી કે આચરણ કરવું તે ઉત્થાનદોષ છે. જે આરાધનામાં રૂકાવટ કરે છે. યદ્યપિ ત્રીજી દૃષ્ટિમાં ભોગમાં અનાસક્ત થયો છે, ઉપાદેયતા નષ્ટ થઈ છે તેથી આરાધનામાં સંભવતઃ વિક્ષેપ થતો નથી. છતાં સૂક્ષ્મબોધના અભાવે સૂક્ષ્મકષાયો જણાતા નથી. તેથી ઉપાદેયતા આવી જાય તો તે ઉત્થાનદોષ છે. જેમ બ્રાહ્મી સુંદરી પૂર્વજન્મમાં વૈયાવચ્ચ જેવા કાર્યમાં માયા કરતા હતા છતાં સૂક્ષ્મબોધના અભાવે તે સૂક્ષ્મદોષને જાણતા ન હતા તેથી સ્ત્રીવેદનું કર્મ બંધાયું. વળી જીવ અનાદિના પૌદ્ગલિક પદાર્થોમાં રાગ, દ્વેષ, હર્ષ, શોક કરવામાં અભ્યસ્ત છે. અને અધ્યાત્મમાર્ગથી અનઅભ્યસ્ત છે. પરપદાર્થોમાં હર્ષાદિ કરવા તેના કરતાં પણ તેમાં ઉપાદેયબુદ્ધિ, ભોગ-સુખબુદ્ધિ કરવી તે વધુ ખતરનાક છે. આ દીપ્રાદેષ્ટિમાં ભોગના પદાર્થોમાં હેયબુદ્ધિ હોવાથી આ જીવો નાના દોષોનું સેવન ન થાય તેને માટે જાગૃત છે. યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૪૦ Jain Education International For Private & Personal Use Only દીપ્રાદેષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy