SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી તે સર્વજ્ઞની સાચી શ્રદ્ધા છે. તેમના પ્રરૂપેલા લોકોત્તર ધર્મ કરનારા અલ્પ સંખ્યામાં હોય તો પણ તે શુદ્ધધર્મનો માર્ગ છે. “ચિત્ત પ્રસન્ન રે પૂંજન ફળ ક્યું રે, પૂજા અખંડિત એહ, ક્પટ રહિત થઈ આતમ અપણારે આનંદઘન પદ રેહ.’’ -શ્રી ઋષભજિન સ્તવન. શ્રી આનંજઘનજી, સર્વજ્ઞની દેશના અવ—-ફળવાળી હોય છે. તેઓની દેશનાના શ્રવણથી ભવ્ય જીવોમાંથી કોઈ સર્વવિરતિ, દેશિવરતિ કે કોઈ જીવો સમ્યક્ત્વ પામે છે. છેવટે કોઈ બોધિબીજ (પ્રાથમિક યોગબીજ) પામે છે. એ પ્રમાણે તેઓની દેશના મોક્ષના ફળને આપનારી છે. સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માની દેશના અનેક સર્વ નયોના સમૂહાત્મક હોવા છતાં એક જ છે. શ્રોતાની યોગ્યતા પ્રમાણે તથા દ્રવ્ય ક્ષેત્રાદિના યોગવાળા જીવો જે રીતે ધર્મબોધ પામે તે રીતે તત્કાલીન નયને મુખ્ય રાખી દેશના આપી હોય તો પણ તે અનેકાંત દૃષ્ટિયુક્ત હોય છે. તીર્થંકર પરમાત્માના બોધવડે ગણધરભગવાનોએ રચેલી દ્વાદશાંગી સમુદ્રસમાન છે. તેમાં કોઈ દર્શનની એકાંતપક્ષી પ્રરૂપણા પણ સમાઈ જાય છે, જેમકે એક પક્ષ આત્માને કેવળ નિત્ય માને તો તે વાત દ્વાદશાંગીમાં એક નયે સમાઈ જાય છે. અને સર્વજ્ઞ તેની સામે અનિત્યનો બોધ આપી શ્રોતાની કે પ્રરૂપકની એક બાજુ ઢળેલી બુદ્ધિ-માન્યતાને બીજી બાજુના જ્ઞાનથી સંસ્કારિત કરે છે. આ અનેકાંત દૃષ્ટિનું માહાત્મ્ય છે. આ રીતે સર્વજ્ઞ પરમાત્માએ કોઈ દર્શનકારોને હીણા કહ્યા નથી, પરંતુ તેમાં ખૂટતું તત્ત્વ જોડી આપીને તેમના પક્ષને ઉદાર બનાવ્યો છે. એ જ નિર્દોષ સર્વજ્ઞતા છે. પૂર્ણજ્ઞાનનું માહાત્મ્ય અને સાક્ષાત્કાર છે. ગ્રંથકાર પ્રકાશે છે કે શ્રી પાતંજલ ઋષિ તેમના શાસ્ત્રમાં કહે છે કે “આગમ દ્વારા, અનુમાન દ્વારા અને યોગાભ્યાસના રસ દ્વારા પોતાની બુદ્ધિનું યુંજન (જોડાણ) કરનારા આત્માઓને પરમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે’’ પરમ તત્ત્વની પ્રાપ્તિના આ ત્રણ ઉપાયો છે. (૧) આગમ-આપ્ત વચન ઃ જેઓએ ઉત્તમ તત્ત્વ (આત્માદિ) સાક્ષાત્ જોયું. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સંપૂર્ણપણે, યથાર્થપણે જાણ્યું, માણ્યું, અનુભવ્યું, એવા સાક્ષાત્ દૃષ્ટા, સર્વથા નિર્દોષ અને સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા છે. તેમના શ્રીમુખે પ્રકાશિત થયેલી વાણી તે આગમ વચન છે. છદ્મસ્થ આત્માઓ સાવરણ હોવાથી અતીન્દ્રિય પદાર્થોને સાક્ષાત્ જાણી કે જોઈ શકતા નથી તેઓને માટે આગમ વચન ઉત્તમ છે. માટે સર્વ તર્ક ત્યજીને પોતાની અલ્પમતિને આપ્તવચનમાં જોડવી. જયાં જયાં આપણી મંદતિ છે ત્યાં જેઓ યોગદિષ્ટ સમુચ્ચય દીપ્રાદષ્ટિ www.jainelibrary.org Jain Education International ૨૩૯ For Private & Personal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy