SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વ્રતનાં અત્યંતર તપમાં સ્વાધ્યાય તપ શ્રેષ્ઠ છે. જેમાં ધ્યાનાદિ ફલિત થાય છે. મહાવ્રતીની ચર્યા જ સ્વાધ્યાય અને ધ્યાનરૂપ હોય તો તે કાયોત્સર્ગ=દેહભાવથી મુક્ત બને છે. આ સ્વાધ્યાય એટલે કેવળ શાસ્ત્રવાંચન, સૂત્રપાઠ, શ્લોકનું સ્મરણ, યોગદ્રવહનમાં સીમિત નથી. સ્વાધ્યાય અને ધ્યાન યુગલ જેવા છે. તેમાં અભ્યસ્ત રહેનારના કર્મમળ સાફ થાય, સ્વાધ્યાય વડે વૃત્તિઓનો વિકાર શમે, ચિત્તની સ્થિરતા વધે છે. પૂ. શ્રી યશોવિજયસૂરિજીએ પ્રકાશ્યું છે કે તપ એટલે નિજગુણ અનુભૂતિ. (૪) સ્વાધ્યાય : અત્યંતર તપ હોવાથી કેવળ વાચન કે શ્રવણ સુધી મર્યાદિત નથી, તે બોધની પરિણતિરૂપ છે. તેમાં સૂક્ષ્મબોધ છે. જેમાં સાધક પોતાની ચેતનાને જાણી શકે છે. જોઈ શકે છે, તરંગો શાંત થાય છે. તે સાધક આવી સાધના વડે સ્વમાં ઠરે છે. સ્વાધ્યાય દ્વારા સાધક જ્ઞાનાવરણીય કર્મના આવરણને ખપાવે છે. અજ્ઞાન દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. અજ્ઞાનની ભયંકરતા સમજાય છે તેથી ગીતાર્થ ગુરુજનો પાસે પુનઃપુનઃ સ્વાધ્યાયમાં મગ્ન રહેવા પ્રયત્નશીલ છે. (૫) ઈશ્વરપ્રણિધાન : નિયમ એટલે પાંચ મહાવ્રત અને તેની દેઢતા માટેનો અભ્યાસ તે જિનઆજ્ઞારૂપ છે. તેથી તેની શ્રદ્ધા માટે ઈશ્વરપ્રણિધાન જરૂરી છે. અર્થાત્ ઈશ્વર=પરમાત્માનું સ્મરણ અને શરણ જરૂરી છે. પરમાત્માના શાસનને તે મહાનિધિ માને છે. પરમ ઉપકારક ગણે છે. યોગદૃષ્ટિ જીવન સ્વયં શિવ થવા માટે છે. મિત્રાદષ્ટિથી માંડીને આઠે દૃષ્ટિ સુધીની યાત્રા આત્માનું અપ્રગટ પરમાત્મસ્વરૂપ પ્રગટ થવા માટે છે. ઈશ્વર-પરમાત્માના જેવો જ મારો આત્મા છે તે આવૃત્ત છે. મારા આત્માની પૂર્ણ દશા જોવાનું પરમાત્મદર્શન આલંબન છે. માટે તેમની ભક્તિ વડે, તેમના ગુણોમાં લીન થઈ તે જ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. “નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા નિજતત્ત્વ એક્તાનોજી, શુક્લ ધ્યાને રે, સાધી સિદ્ધતા લહે મુક્તિ નિદાનોજી.’' શ્રી નેમિજિનેશ્વર સ્તવન. શ્રી આનંદઘનજી મિત્રાદષ્ટિમાં અહિંસાદિ દેશ કે મહાવ્રતો હોય છે. તે નિરતિચારપણે પાળે પરંતુ તેનો સૂક્ષ્મબોધ તારાદેષ્ટિવાળાને વિશેષ હોય છે. પ્રથમ દૃષ્ટિથી યોગદૃષ્ટિ સમુચ્ચય તારાદષ્ટિ www.jainelibrary.org Jain Education International ૨૧૮ For Private & Personal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy