SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ જીવમાં તાત્વિક વિકાસ શરૂ થાય છે. વળી મોહનીયકર્મના ક્ષયોપશમથી આત્મિકગુણોનો વિકાસ થતો જાય છે. આથી યોગમાર્ગને અનુરૂપ સદ્ગુરુનો સંપર્ક, તેવા શાસ્ત્રોના સ્વાધ્યાયમાં તેની રૂચિની વૃદ્ધિ થતી જાય છે. નિયમ પાંચ ઈહાં સંપજે, મન મોહન મેરે, નહી કિરિયા ઉદ્વેગ, મન મોહન મેરે, જિજ્ઞાસા ગુણતત્ત્વની, મન મોહન મેરે, પણ નહી નિજ હઠ ટેક મન મોહન મેરે, -આ. દે. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. આ પ્રમાણે પાંચ નિયમને પાળતો સરળપણે ગુણવૃદ્ધિ કરે છે. ઓષ્ટિ જીવને યોગમાર્ગની જિજ્ઞાસા થવી દુર્લભ છે. તેવા યોગ મળે તો પણ તેને અંતરના ભાવ થતા નથી. આ દૃષ્ટિવાળા જીવો યોગીજનોને શોધતા હોય છે. જેમ ઘરમાં યુવાન કન્યાને માટે યોગ્ય ઘર અને વર શોધવા વડીલોની કેવી તીક્ષ્ણ દૃષ્ટિ અને બુદ્ધિ કામ કરે છે તેમ તારાદૃષ્ટિના યોગમાર્ગની રૂચિવાળા સાધકો યોગીપુરૂષોની શોધમાં રહે છે. તેવો યોગ મળે બહુમાનપૂર્વક ભક્તિ કરે, વૈયાવચ્ચ કરીને જીવનને ધન્ય માને છે. આવા ઉત્તમ ભાવો મોક્ષમાર્ગની ઉત્તરોત્તર વૃદ્ધિનું કારણ બને છે. મિત્રાદેષ્ટિમાં ખેદ-થાક-કંટાળો નથી અખેદ છે. તારાદૃષ્ટિમાં તેનાથી આગળની દશા વિકસે છે. ધર્મક્રિયા, યોગીપુરૂષોની નિશ્રા, સ્વાધ્યાય, ભક્તિ, નિઃસ્પૃહતાથી કરે. વૈયાવચ્ચમાં જરાય કંટાળતો નથી કે ઉદ્વેગ નથી થતો, અનુદ્વેગ ગુણ પ્રગટ થાય છે. ક્ષયોપશમભાવની વૃદ્ધિ થતાં ધર્મતત્ત્વ જાણવાની જિજ્ઞાસા તીવ્ર બને છે. ગમે તેવી પ્રતિકૂળતા આવે તો પણ ઉલ્લાસથી તાત્ત્વિક કથામાં તેને કંટાળો ઉપજતો નથી. દિન પ્રતિદિન ઉત્સાહ વૃદ્ધિ પામે છે. તેમાં જ તેને આનંદ છે. એવી તત્ત્વશુશ્રુષાનો ગુણ સાધ્ય થાય છે. છતાં પણ જો દર્શનમોહનીય કે ચારિત્રમોહનીયનો ઉદય થઈ જાય તો જીવ પાછો પડે છે. માટે જ્ઞાનસારમાં કહ્યું છે કે પૂર્ણતા પામતા સુધી જાગૃત રહેવું. જો કે આ દૃષ્ટિવાળા સાધકો ઔચિત્યનું પાલન કરે છે. અનુચિત પ્રવૃત્તિઓ પાયે કરતા નથી. શુભકાર્યો કર્યા વગર રહેતા નથી. તેથી તેમને સામાન્ય પ્રકારનો ભય હોતો નથી. મંદ કષાય અને હળુકર્મી હોવાથી તેમની પ્રકૃતિ એવી હોય છે કે તે અનુચિત કાર્યો કરતા નથી, ક્ષુદ્રતા, યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૧૯ For Private & Personal Use Only તારાષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy