SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ થવો, તેનું ટકી જવું તે બંધરૂપ ભાવમલ છે. વળી ચરમાવર્તમાં આવેલા જીવોનો જ ભાવમલ ક્ષીણ થાય છે. અને યોગબીજની પ્રાપ્તિ થાય છે. આ દૃષ્ટિમાં અનાદિકાલીન મુક્તિ તરફનો દ્વેષ ઘટે છે અને પ્રીતિ વધે છે. મિત્રાદેષ્ટિવાળા જીવનું ચિંતન ઃ આ ચિંતન સાધકે કરવા જેવું છે, હે જીવ ! આ સંસારના પરિભ્રમણમાં જીવે ભૌતિક અર્થ અને કામના સુખોની ઈચ્છા કરી છે. તેવા સાધનો મેળવ્યા, તેનો ભોગ કર્યો અને તે વડે કર્મબંધન કરી જીવ દુઃખ પામ્યો છે. અનંતકાળમાં માનવદેહ મળ્યો ત્યારે સાંસારિક સુખના સાધનો મેળવવા પ્રયત્નો કર્યા છે. અનેકવાર દેહના સુખ માટે જીવન ગાળ્યું છે પણ આત્માર્થે પ્રયોજન કર્યું નથી તેથી જન્મ મરણના હેતુઓ પણ ચાલુ છે. મિત્રાદષ્ટિની વિકાસ સંપત્તિ જાણવા જેવી છે. જગતના જીવો સાથે મૈત્રીભાવ. તૃણાગ્નિ જેવો બોધનો પ્રારંભ. અણુવ્રત કે દેશવ્રતની આરાધના. ધર્મારાધનામાં પ્રવૃત્ત રહેવું. દેવ અને સદ્ગુરુની ભાવપૂર્વક ભક્તિ. ગુરુજનોની વૈયાવચ્ચ કરવી. સંસાર પ્રત્યે અલ્પ વૈરાગ્યની ભાવના, ધર્મારાધનાની દઢતા માટે પ્રતિજ્ઞા-અભિગ્રહનું પાલન, ધર્મકથાનો વિનિમય, ચરમાવર્તમાં પ્રવેશ, અપુનબંધક દશા, માર્ગાનુસારિના ગુણોનું સેવન, ગુણવાનોનું બહુમાન. ભૂમિકા પ્રમાણે આવશ્યક આરાધન, ભાવમલની હાનિ, યોગાવંચક, ક્રિયાવંચક, ફળાવંચકની યોગ્યતા, મિથ્યાત્વ ગ્રંથિની ઓળખાણ થવાથી ગાઢ મિથ્યાત્વની હાનિ અને મિથ્યાત્વ ગુણસ્થાનકની પાત્રતા. આવી ઉત્તમ સંપત્તિ મળ્યા પછી મૂઢ જીવ પાછો પડે પરંતુ દેવગુરુ કૃપાએ આ જીવની ભાવનાઓ જાગૃત થઈ છે. હવે જરૂર તારાદૃષ્ટિમાં પ્રવેશ કરીને વધુ સંપત્તિ ધારણ કરે છે. યોગદિષ્ટ સમુચ્ચય Jain Education International 卐 ૨૧૧ For Private & Personal Use Only મિત્રાદષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy