SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ વિષને હરનારા શાસ્ત્રોનું અધ્યયન કરે છે. તેમાં અપૂર્વ રૂચિ પ્રગટ થતાં પોતાના ધનનો આવા શાસ્ત્રો લખાવવામાં પ્રવૃત્ત થાય છે. આત્માર્થ પ્રેરક સભ્યશાસ્ત્રોનું ગુરુગમથી વિધિપૂર્વક લેખન કરાવવું તેવો શુભાશય પણ યોગબીજ છે. લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદાહો જીરે, ભાવ વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. -આ. દ. સજઝાય, ઉ. યશોવિજયજી. જિનવાણી-શ્રુતજ્ઞાનનો મહિમા અદ્ભૂત છે. તેની ફળશ્રુતિ પરંપરાએ ભાવયુતરૂપ પરિણમી મોક્ષદાતા છે. માટે શ્રુતજ્ઞાન લખો, લખાવો, પૂજન કરો, દાન કરો (પ્રભાવના), શ્રવણ કરો, કરાવો, અભ્યાસ કરો. ગુરુમુખે વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવો, અન્યને ભણાવો, સ્વાધ્યાય કરો, ચિંતન કરો, વારંવાર શાસ્ત્રદોહન કરવું, તત્વચિંતન કરી ભાવશુદ્ધિ કરવી. દ્રવ્યશ્રુત કે ભાવશ્રુતનો આખરી મહિમા જીવનું સંસારના રાગથી વિમુખ થઈ મોક્ષાભિલાષી થવાનું છે. યધપિ આ દૃષ્ટિવાળા જીવોની પ્રાથમિક ભૂમિકા હોવાથી, બોધ અલ્પ હોવાથી દરેક જીવો આ બધા જ યોગબીજનું સેવન કરી શકે તેવો નિયમ નથી. પરંતુ તેમાં તેની અત્યાધિક રૂચિ હોય છે. તે યોગબીજોનું શ્રવણ સઉલ્લાસ કરે છે. ગુરુ આદિના બોધમાં શ્રદ્ધાવાન છે. તે દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે. આથી સાંસારિક સુખોનો રાગ-મોહ કંઈક ઘટે છે. સંવેગ-મોક્ષાભિલાષી નિર્વેદ (સાંસારિક સુખો પ્રત્યે ઉપેક્ષા)ની વૃદ્ધિ થાય છે. સાસરિક સુખની ફળની ઈચ્છા રહિત આ ઉપાદેયભાવ તે આધ્યાત્મિક વિકાસ કરાવનારું પુણ્યાનુબંધી પુણ્ય છે. જેના વડે ભવમુક્તિ સુધી દેવલોકાદિના સુખ મળે તો પણ આ તાત્વિકબોધ બાધક બનતો નથી પરંતુ ક્રમે કરી તે જીવ મુક્તિ પામે છે. ગામાન્તરે જતાં દીર્ઘમાર્ગની વચમાં રાત્રિશયનથી પરિશ્રમ દૂર થાય છે તેમ આ સુખો વિષે જાણવું. આમ આ પાંચ કે છ બીજાધાન-યોગબીજ જીવનનું અમૃત છે. જિનેશ્વર દેવની કુશલચિત્ત (અપૂર્વભક્તિ), ગુરુજનોની ભક્તિ અને વૈયાવચ્ચ, ઉપાસના, ભવ નિર્વેદ, દેશવિરતિ કે સર્વવિરતિ અન્ય વ્રત, નિયમ અભિગ્રહ, શાસ્ત્ર લેખન, વાંચન આદિ પ્રવૃત્તિ છે. આ યોગબીજોનું અમૃતપાન કોણ કરી શકે ? જીવનો અનાદિનો સહજમલરૂપી ભાવમલ ઘણો ક્ષીણ થયો હોય ત્યારે જ જીવ આ યોગબીજોને ગ્રહણ કરે છે. ભાવમલ એટલે આત્માની અજ્ઞાન-વિભાવદશાનું નિમિત્ત પામી કાર્મણવર્ગણાઓનું ગ્રહણ થવું, આસવનો આત્મપ્રદેશો સાથે સંબંધ Jain Eયોગદૃષ્ટિ સમુચ્ચય For Private ? 10.onal Use Only. wwા મિત્રાદેષ્ટિ .org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy