SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગ કરે તો તે મોહગર્ભિત વૈરાગ્ય છે. (૪) દ્રવ્યથી અભિગ્રહનું પાલન : મિત્રાદષ્ટિવાળો આધ્યાત્મિક વિકાસના કેટલાક સાધનો સેવે છે. તેમાં સાધનાની દૃઢતા માટે વ્રત, નિયમ અભિગ્રહોને ધારણ કરે છે. યદ્યપિ હજી ગ્રંથિભેદનો અભાવ હોવાથી દ્રવ્ય અભિગ્રહ ધારણ કરે છે. દેશિવરતિ જેવા વ્રતો ધારણ કરે છે. તે પણ દ્રવ્યથી જાણવા તેનું કારણકે ભાવવ્રતાદિ સમ્યક્ત્વ સાથે હોય છે. સત્પાત્રોને આહારાદિ આપવામાં તે અંગેના અભિગ્રહ ધારણ કરે છે, જેમકે મુનિમહાત્માઓને આહારાદિ આપ્યા પછી પોતે ભોજન ગ્રહણ કરશે. મુનિ મહાત્માઓ સંયમી છે એટલે તેમને આપેલા દાનનું ઘણું માહાત્મ્ય છે. તે મહાત્માઓ શુદ્ધ ધર્મના પાલન કરનારા, ધર્મ પમાડનારા, જિનેશ્વરદેવોની અનુપસ્થિતિમાં ભવિ જીવોને સંસારથી તરવાનો માર્ગ બતાવનારા છે. તેથી તેમને આપેલું સત્પાત્રદાન અનેક લાભનું કારણ છે. આ દૃષ્ટિવાળો જીવ અનુકંપાદાન શુભાશયથી કરે છે તે યોગબીજનો પ્રકાર છે. દીન, દુઃખી, રોગી જેવા જીવોને યોગ્ય સહાય કરવાથી તે પરોપકાર રૂપે ધર્મપ્રભાવનાનું કારણ છે. આ રીતે સુપાત્રદાન, અનુકંપાદાન, દ્રવ્યઅભિગ્રહ હોવા છતાં તે શુભાશયને કારણે યોગબીજ છે. (૫) શાસ્ત્રોનું વિધિપૂર્વક લેખનાદિ : મિત્રાદેષ્ટિવાળામાં પડેલું આંશિક યોગબીજ પણ કેવું અદ્ભૂત છે. મુક્તિ પામવાની જિજ્ઞાસા સેવે છે. માત્ર મોક્ષ અભિલાષ બીજો મન રોગ નહિ. મોક્ષમાર્ગ જિનવાણીરૂપ શાસ્ત્રોમાંથી મળે છે. તેથી તે જીવને શાસ્ત્રો પ્રત્યે અત્યંત આદર હોય છે. શાસ્ત્રો લખે, લખાવે, ગુરુગમે શ્રવણ કરે. ભણે, ભણાવે અને યોગ્ય સમયે શાસ્ત્રોનું ભક્તિ પૂજન કરે. આ કાળે જિન પ્રતિમા અને જિનવાણી-શ્રુતજ્ઞાન એ આત્માર્થીને સંસાર સાગર તરવાના જહાજ સમાન છે. ગ્રંથો દ્રવ્યશ્રુત છે તે ભાવશ્રુતનું નિમિત્ત થઈ શકે છે. તેથી તે આદરણીય છે, પૂજનીય છે. શાસ્ત્રચક્ષુ ઉપકારક છે. અન્ય મતવાળા મિત્રાદૃષ્ટિને યોગ્ય હોય છે તે પણ અધ્યાત્મ શાસ્ત્રોનું બહુમાનપૂર્વક શ્રવણ, લેખન, પૂજન વગેરે કરે છે. વળી આ દૃષ્ટિવાળ બધા જીવોની કક્ષા સમાન હોતી નથી. વળી દરેકને ઉત્તમ સંયોગને પ્રાપ્તિ થતી નથી. પરંતુ જેને શાસ્ત્ર કે બોધના સંયોગ મળે છે તેની આંતિર દશાની યોગ્યતા વિકાસ પામે છે, તેને શ્રવણાદિમાં અપૂર્વ શ્રદ્ધા થાય છે તેને ન સમજાય તો પણ ખેદ થતો નથી પરંતુ સમજવા પ્રયત્ન કરે છે. મિત્રાદષ્ટિવાળો આત્મહિત કરનારા, મોક્ષમાર્ગના પ્રતિપાદક, મોહન યોગદૃષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૦૯ For Private & Personal Use Only મિત્રાદષિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy