SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા-ભક્તિ કરવી. શાસ્ત્રાનુસારી તેમની સંયમ વૃદ્ધિ થાય તે પ્રકારે વૈયાવચ્ચ કરવી. કોઈ શાસ્ત્રમાં આ ત્રીજું યોગબીજ કહ્યું છે જે દ્રવ્ય અભિગ્રહમાં અભિપ્રેત છે. (૩) સહજ એવો ભાવવૈરાગ્ય (ભવઉદ્વેગ) : મિત્રાદેષ્ટિવાળા યોગબીજોનો સંચય કરે છે. હવે ત્રીજું યોગબીજ સહજ વૈરાગ્ય. વૈરાગ્યના ત્રણ લક્ષણ છે. (૧) જ્ઞાનગર્ભિત (૨) મોહગર્ભિત (૩) દુઃખગર્ભિત. વાસ્તવમાં આ પંચમકાળમાં જીવ વૈરાગ્યથી પરિચિત જ નથી. એટલે ભૌતિકવાદી જીવને એક પ્રકારે વૈરાગ્ય થાય તેમ નથી. દુ:ખ પામે પણ વૈરાગ્ય ન પામે. એવો આ કાળ છે, તેમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કોઈ વિરલાજીવ પામે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય : મોક્ષમાર્ગનો ક્રમ છે તેમાં ગરમાવર્તમાં આવેલો જીવ જયારે અપુનબંધકદશાથી કંઈક જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પામે છે, જેમ જેમ તે તત્વનો બોધ પામે છે તેમ વૈરાગ્ય દૃઢ થાય છે. તેને સાંસારિક સુખ જ કષ્ટદાયક લાગે છે, જે સુખનું પરિણામ દુ:ખ છે પાપાનુબંધી પુણ્ય છે તેમાં તે કેમ રાચે ! આત્મિક સુખ સિવાય તેને કયાંય સુખની છાયા જણાતી નથી. સ્વભાવમાં, શુદ્ધાત્મામાં, મોક્ષમાં સાચુ સુખ છે તેવી દઢ શ્રદ્ધાવાળો સાંસારિક સુખમાં લોભતો નથી. તેના સર્વ અનુષ્ઠાનો સંસારથી મુક્ત થઈ મોક્ષ પામવા માટે જ છે. દુ:ખગર્ભિત વૈરાગ્ય એ વૈરાગ્ય નથી તેમાં દુ:ખની આકુળતા છે. કાળ વ્યતીત થાય, સાંસારિક પ્રયોજન વિના વિદને થતા હોય એટલે એ દુઃખને ભૂલી જાય છે, પછી વેરાગ્ય ક્યાંથી હોય? દુઃખગર્ભિત વૈરાગ્ય હિતકર નથી. મિત્રાદષ્ટિવાળો યોગદૃષ્ટિયુક્ત છે. તેનો આંશિક વૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત છે. માટે તેના ધર્મઅનુષ્ઠાનો સંસારથી છૂટવા અને મુક્તિ પામવા માટે છે. મિત્રાદેષ્ટિવાળો સંસારના દુઃખદાયી સ્વરૂપને જાણે છે કે આ સંસાર જન્મ-મરણ, હર્ષ-શોક, ઈષ્ટ-અનિષ્ટ સંયોગ, જેવા કંદથી ભરપૂર છે, તેથી તેના પ્રત્યે તેને નિર્વેદ, ઉદ્વેગ હોય છે. તે કેવળ વર્તમાનકાલીન દુ:ખથી ઉપજતા ક્ષણિક ઉદ્વેગ જેવો નથી. તેમાં સાચો વૈરાગ્ય નથી. દુઃખગર્ભિત વૈરાગ્ય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં સહજ નિર્વેદ છે તે યોગબીજ છે. મોહગર્ભિત વૈરાગ્ય : દીક્ષા ગ્રહણ કરવાથી માન સત્કાર મળશે. સારા આહારાદિ મળશે. વળી પુણ્યબળે પરલોકમાં સુખ મળશે. સાંસારિક જીવનમાં દરિદ્રતા, સંઘર્ષ જેવા દુઃખથી છૂટવા મળશે. એમ ધારી સંસારનો યોગદષ્ટિ સમુચ્ચય ૨૦૮ મિત્રાદેષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy