SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. શરીરના નાક કાન જેવા પોલાણવાળા ભાગો કે જયાં આત્મપ્રદેશો નથી હોતા. કેવળજ્ઞાની જયારે કાયયોગનો નિરોધ કરે ત્યારે ત્રીજા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાન દ્વારા શરીરના ખાલી ભાગો ઘનીભૂત થઈ જાય છે, ત્યારે શરીર સંકોચાય છે. તેથી આત્મપ્રદેશો શરીરને અનુરૂપ થઈ શરીરની આકૃતિ અને ઉંચાઈ ત્રીજા ભાગની ઓછી થાય છે. આ ક્રિયા પૂર્ણ થતાં શુકલધ્યાનનું ત્રીજુ ધ્યાન પૂર્ણ થાય છે. (૪) વ્યુપરતક્રિયા અપ્રતિપાતી : મનોયોગ, વચનયોગ, શ્વાસોચ્છવાસ અને કાયયોગ નિરોધની ક્રિયાથી નિવૃત્ત થયેલ આત્મા કર્મોની અપરિમિત નિર્જરા કરે છે. આત્માના અનન્ત વીર્યમાંથી અને શ્રેષ્ઠ સંયમમાંથી પ્રગટેલા અપૂર્વ બળ વડે આત્મા શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે, અત્યંત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. તેનો કાળ ૪, ૫, ન, ન, મ પાંચ હૂસ્વાસ્વર શબ્દ બોલવા જેટલો હોય છે. સર્વ સંવર કરનાર આત્મા શીલેશ કહેવાય છે. સર્વકર્મોનો સર્વથા નાશ થાય છે. ત્રણે શરીરથી સર્વથા મુક્ત થયેલો આત્મા લોકાગ્રે સાકારોપયોગથી ઋજુશ્રેણિએ એક જ સમયે સિદ્ધ થાય છે. મુક્તાત્માનું સુખ અવર્ણનીય છે તે સાદિઅનંત, અનુપમ અને અવ્યાબાધ છે. આત્મા મોક્ષ પામવાથી નાશ નથી પામતો કારણ આત્મા સ્વયં નિત્ય છે. કર્મોરહિત આત્મા ચારગતિમાં ફરતો નથી પણ લોકાગ્રે સ્થિર થાય છે. તે જ મોક્ષ છે. સિદ્ધાવસ્થા છે. ૧૨૮. સમુદ્દાત : ------ સમ્ = એકીભાવ, ઉત્ = પ્રબળતાથી, ઘાત : નાશ, સમુદ્દાત. વેદનાદિ સાથે એકીભૂત થઈને વેદનાદિના અનુભવજ્ઞાનમાં પરિણત આત્મા વેદનાદિ સમુદ્દાત કરે છે. એટલે ઘણા કાળ પછી જે કર્મો ભોગવવાના હોય તેવા કર્મોને પ્રબળ પ્રયત્નથી ઉદીરણા કરીને ઉદયમાં લાવે, ભોગવીને નાશ કરે. સમુદ્દાતના સાત પ્રકાર છે. (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણાન્તિક સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્દાત (૫) તૈજસ સમુદ્દાત (૬) આહારક સમુદ્દાત (૭) કેવળી સમુદ્દાત. આ સાત સમુદ્ધાતમાંથી ૧ થી ૬ છદ્મસ્થ જીવને હોય છે. તેમાં અજીવનો જુદો છે. સાતમો સમુદ્દાત સર્વજ્ઞ કેવળીને હોય છે. પ્રશમરતિ Jain Education International ૧૮૩ For Private & Personal Use Only સમુદ્દાત www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy