SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) વેદના સમુઠ્ઠાતઃ વેદનાથી દુઃખી થયેલો આત્મા, અનંત કર્મોથી આવરાયેલો પોતાના આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે અને શરીરના જે મુખ વગેરે પોલા ભાગો હોય તેને આત્મપ્રદેશોથી પૂરી દે છે, આ રીતે શરીર પ્રમાણ આત્મા વ્યાપક બનીને અંતર્મુહૂર્ત સુધી રહે, ત્યારે અશાતાવેદનીય કર્મનો ઘણો નાશ કરે. તેમાં અશાતાવેદનીય કર્મ કારણભૂત છે. (૨) કષાય સમુદ્ધાતઃ કષાયોથી વ્યાકુળ જીવાત્મા શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશોથી ભરી દે, તે શરીર વ્યાપી બનીને એક અંતર્મુહૂર્તમાં કષાય મોહનીયના ઘણા કર્મોનો નાશ કરે છે. ચારિત્રમોહનીય કારણભૂત છે. (૩) મરણાન્તિક સમુઘાત મૃત્યુના ભયથી વ્યાકુળ બનેલો જીવ જયારે એક અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશો વડે ભરીને, શરીર જેટલી જાડાઈ પહોળાઈવાળા બને. લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલો તથા ઉત્કૃષ્ટથી એક દિશામાં ઉત્પત્તિ સ્થાન સુધી અસંખ્ય યોજન જેટલો બને પછી અંતર્મુહૂર્ત કાળમાં આયુષ્યકર્મના ઘણા દલિકો નાશ કરીને મૃત્યુ પામે. આયુષ્યકર્મ કારણભૂત છે. (૪) વૈક્રિય સમુદ્દઘાત : વૈક્રિય શક્તિવાળો જીવ શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી, શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશો વડે ભરે છે. જાડાઈ, પહોળાઈ શરીર પ્રમાણ બને. પરંતુ લંબાઈ સંખ્યાતા યોજનની દંડાકૃતિ બનાવે. અંતર્મુહૂર્તકાળ આ પ્રમાણે રહીને વૈક્રિય શરીરના નામકર્મના ઘણા દલિકોનો નાશ કરે. નામકર્મ કારણભૂત છે. (૫) તૈજસ સમુધાત : તેજલેશ્યા નામની શક્તિવાળો જીવ વૈક્રિય સમુઘાતની જેમ સ્વશરીર જાડો પહોળો બને અને સંખ્યાત યોજન પ્રમાણ દંડાકૃતિ બનીને અંતર્મુહૂર્તકાળમાં તૈજસ અંશોનો નાશ કરે. તૈજસ નામકર્મ કારણભૂતો. (૬) આહારક સમુદ્યાત આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વધર આહારક શરીર બનાવે તેને વિસર્જન કરતાં સમુદ્યાત કરે, તેઓ શરીરમાંથી આત્મપ્રદેશો બહાર કાઢીને શરીર પ્રમાણ જાડાઈ, પહોળાઈ કરે, સંખ્યાતા યોજન પ્રમાણ દંડાકૃતિ બને, અંતર્મુહૂર્ત કાળમાં ઘણા બધાં જુના આહારક પુદ્ગલો નાશ કરે. આહારક નામકર્મ કારણભૂત છે. (૭) કેવળી સમુદ્યત : કેવળજ્ઞાનીનું આયુષ્યકર્મ એવું હોય છે કે તે ઘટી શકતું નથી. નિરૂપક્રમ હોવાથી જેટલું બાંધ્યું હોય તેટલું ભોગવવું પડે. જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોનો આયુષ્ય સાથે વિશેષ સંબંધ નથી. પ્રશમરતિ Jain Education International ૧૮૪ For Private & Personal Use Only સમુઘાત www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy