SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહસંજ્ઞા અને મૈથુનસંજ્ઞાવાળા ઉત્તરોત્તર સંખ્યાત ગુણા. ઉત્તરોત્તર સંખ્યાત ગુણા દેવમાં આહારસંજ્ઞાવાળા સૌથી થોડા. ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાવાળા હોય છે. સંજ્ઞા વગેરે ભેદો વિકાર છે, પ્રકૃતિ છે. અજ્ઞાની સંજ્ઞા વગેરેના કારણે રાગાદિને પોતાનો સ્વભાવ માને છે. અને તેથી તેનો ભોક્તા બને છે. જ્ઞાની સ્વભાવથી વિરાગી છે તેથી તે પરનો કર્તા કે ભોક્તા નથી, તે જ્ઞાનસંજ્ઞા છે. વળી અભવ્ય તો કર્મના ઉદયને ત્યજી શક્તો નથી, પોતે જ્ઞાનસ્વરૂપ છે તેમ સ્વીકારતો નથી. જેમ સર્પ સાક૨વાળુ દૂધ પીવા છતાં નિર્વિષ બનતો નથી. તેમ અભવ્ય ગમે તેવા તપ, ત્યાગ, ધ્યાન, અધ્યયન કરે છતાં તેનું અભવ્યપણું બદલાતું નથી. કારણકે તેનામાં ભાવશ્રુત કે જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મ જ્ઞાનનો અભાવ છે. જેમ આકડાના પાનનું દૂધ ગમે તેટલું મેળવણ નાંખો તો પણ દહીં બનતું નથી. તેમ અભવ્યનો પરિણામ જ એ પ્રકારના છે કે તે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થતો કે પરિણમતો નથી. સંજ્ઞા : સારી રીતે જાણવું, તેના ત્રણ પ્રકાર છે. (૧) દીર્ઘકાલિકી સંજ્ઞા : લાંબાકાળનો વિચાર કરવાની શક્તિ. ત્રણે કાળ માટેના કામ કરવાની વિચાર શક્તિ છે. તેનું બીજુ નામ સંપ્રધારણ સંજ્ઞા. આ જીવોને મન હોવાથી સંશી છે. (૨) હેતુવાદોપદેશીકી સંજ્ઞા : માત્ર વર્તમાન કાળનોજ વિચાર કરવાની શક્તિ. આ જીવોને શાસ્ત્રકારો સંશી કહેતા નથી. કારણકે તે જીવો મન વગરના છે. પરંતુ જીવનું સ્વાભાવિક પ્રેરકબળ હોય છે. (૩) દૃષ્ટિવાદોપદેશીકી સંજ્ઞા : વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમવાળા અને હેય ઉપાદેયના પ્રવૃત્તિવાળા સમ્યગ્દષ્ટિજીવની વિચારણાને દૃષ્ટિ વાદોપદેશીકી સંજ્ઞા કહે છે. ત્રણેમાં આત્મહિતકારક દૃષ્ટિવાદોપશીકી સંજ્ઞા છે. ૨૭. સંસારભીરૂ મુનિ ધર્મધ્યાની હોય છે. " (ધર્મધ્યાન - શુકલ ધ્યાન) રાગી ધર્મધ્યાનના અધિકારી મુખ્યત્વે મુનિરાજ છે. આરંભ પરિગ્રહના ગૃહસ્થ ધર્મધ્યાનમાં કેવી રીતે ટકી શકે ? શીલાંગના ધારણ કરનારા, લોકસંપર્કથી મુક્ત છે એવા મુનિ ધર્મધ્યાનમાં લીન થઈ શુકલધ્યાનના આરાધક બની મુક્ત થાય છે. પ્રશમરતિ Jain Education International ૧૮૦ સંસારભીરૂ મુનિ ધર્મધ્યાની હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy