SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ એક બે નળથી ચાલે તો વધુ ન મૂકાવવા, ઓરડામાં બે લાઈટથી ચાલે તો વધુ ન મૂકાવવી વગેરે. વળી ધન ધાન્ય ઘર સોનું વિગેરેમાં પરિગ્રહ પરિમાણ કરવું. કપડાં વાસણ વિગેરે જરૂરી ચીજોનું પરિમાણ કરવું. હોય તેની મૂછ ઘટાડવી. વૃદ્ધિ થાય તો અન્યને નામે ચઢાવવું નહિ. તેનું પ્રથમથી જ આયોજન કરવું. જેટલા ઓછા પદાર્થો તેટલી મમતા ઓછી થશે હિંસાદિ પાપ ઘટશે. સંતોષ પેદા થશે. - આ પાંચ શ્રાવકના મૂળ દેશવ્રત કહેવાય છે. ત્રણ ગુણવ્રત અને શિક્ષાવ્રત ચાર છે. (૬) દિગુપરિમાણ વ્રત ઃ જુદી જુદી દિશાઓનું પ્રમાણ સ્વીકાર્યા પછી મનની ઈચ્છા શાંત કરવી. જગતમાં કશું શાશ્વત કે આશ્ચર્યજનક છે નહિ, બધું પરિવર્તનશીલ છે. ધનવૃદ્ધિ માટે ઘણી દિશાનું પ્રમાણ કરવું નહિ. ફરવાની, જોવાની, મહાલવાની વૃત્તિ પણ સીમિત કરવી, જોયા પછી શું મળે છે ? એક દેશ્ય ઉપર આંખ ક્ષણવાર ઠરી, ત્યાં બીજું દશ્ય જોવું તે કેવું ક્ષણિક હોય છે. તેમાં મળતો આનંદ પણ ટકતો નથી, વળી જીવ તું જાણજે કે આ દુનિયામાં ચૌદરાજ લોકમાં તું જન્મ મરણ કરી બધે જ ફરી આવ્યો છે. હવે તારે નવું જોવાનું શું છે? તું જે ઝાડપાન જળાશયો જૂએ છે ત્યાં બધે જન્મી ચૂક્યો છું, પછી નવીનતા શી છે? નિરર્થક ધન ખર્ચે છે, પરભાવમાં જાય છે અને કર્મના પાશથી બંધાય છે. તેમાં તને શું સુખ મળ્યું ? તેમ વિચારવું. (૭) દશાવકાશિ વ્રત : છઠું વ્રત કાયમ માટે લેવાનું વ્રત છે કે ઉપર નીચે આટલા અંતરમાં જઈશ. આ વ્રત રોજને માટે અંતર નક્કી કરવાનું છે. જેથી તે સિવાયના ક્ષેત્રની પાપક્રિયાના ભાગીદાર ન થવાય. જેટલો વિસ્તાર નક્કી કર્યો તેનાથી બહાર પોતે જવું નહિ કે નોકર આદિ દ્વારા તે મર્યાદાથી બહારકામ કરાવવા નહિ. કોઈને મોકલવા નહિ કે કંઈ મંગાવવું નહિ. કોઈ સાધકો વર્ષમાં એકવાર ઉપાશ્રયમાં રહીને દશ સામાયિક કરે છે. તેણે પણ ઉપર મુજબ મર્યાદા રાખવી. ત્યારે શબ્દાદિ સંકેતથી પણ કાર્ય કરવું કે કરાવવું નહિ બહારથી કંઈ મંગાવવું નહિ કે મોકલવું નહિ. (૮) અનર્થ દંડ: ગૃહસ્થજીવનમાં આવશ્યક કાર્યો કરવા પડે તેનો દંડ (બંધ) છે પણ તે અર્થદંડ મનાય છે. પણ પ્રયોજન વગર પ્રમાદથી આત્મા દંડાય તેવા કાર્યોને અનર્થદંડ કહેવાય છે. પ્રશમરતિ ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ ૧૭૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy