SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ કરજે. સમ્યકત્વ પામજે. સ્વભાવના આશ્રયે ધર્મ પામજે. પાંચ અવ્રત તે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહનો ત્યાગી થજે. અહિંસાદિ દેશવ્રતને ધારણ કરજે. તપ, દાન, દયા, પરોપકાર, ચેત્યાલયો, ધર્મના સ્થાનોનું નિર્માણ કરજે. રોજની આવશ્યક ક્રિયાઓ કરજે. ધર્મમય, અધ્યાત્મભાવના યુક્ત જીવન જીવજે. આમ શુદ્ધ જીવન જીવીને શ્રાવકો સમીપ મુક્તિગામી બને છે. કદાચ બે ચાર કે આઠ ભવ થાય તો પણ દેવ અને માનવજીવન મળે છે, જે ઉત્તરો ઉત્તર આત્મઉન્નતિ કરે છે. વીતરાગના વચનના શ્રવણથી પ્રભાવિત થઈ તરવાનો કામી થાય છે. સંસારથી વિરકત થાય છે. તે માટે જ્ઞાની, શ્રતધર, મુનિજનોનો સમાગમ કરે છે. સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે. શમ સંવેગાદિ લક્ષણથી વિભૂષિત હોય છે. આત્મ સાધનાને બાધક કારણોને ત્યજી દે છે. હિતકર સાધનોની ઉપાસના કરે છે. વ્યવહાર કરવા છતાં સ્વયં જ્ઞાતાભાવે રહે છે. મૈત્રી આદિ ચાર ભાવનાથી ભાવિત હોય છે. બાર વ્રત ધારણ કરી તેનું સાંગોપાંગ આરાધન કરે છે અને સર્વ વિરતિ ભાવને પોષતો રહે છે. એવો સમકિતિ સાધક અવશ્ય દેવલોકમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ પ્રભુના કલ્યાણકો, પ્રભુની ભક્તિમાં ઉત્સુક રહી સમકિતને નિર્મળ કરી, માનવદેહ ધારણ કરી સંયમની રૂડી આરાધના કરી અનુક્રમે મુક્ત થાય છે. જે શ્રાવક-ગૃહસ્થ ઘરવાસ ત્યજવા જેવું સામર્થ્ય ધરાવતો નથી, મહાવ્રતના પાલનમાં શક્તિમાન નથી. પરંતુ મોક્ષપંથનો અર્થ છે. તે સર્વજ્ઞ જિનેશ્વરના વચનમાં, આજ્ઞામાં શ્રદ્ધાવાન રહે કે સર્વજ્ઞના આ વચન મને સંસાર સાગરથી પાર ઉતારશે. તેમના આજ્ઞાપાલનમાં ઉલ્લાસિત થઈ ગુરુજનોની વિનયપૂર્વક ઉપાસના કરે સ્વાધ્યાય કરે તેને મહાવ્રતના યોગ મળે છે. - ઈન્દ્રિય વિષયોમાં સંયમિત રહે. કષાયોની મંદતા વાળો હોય, મિથ્યા માન્યતાથી ઉપશાંત થયો હોય, તેનું ભવ્યત્વ પરિપાક થયું હોય છે. હળુકર્મી હોઈ સાતે કર્મોની સ્થિતિ અંતઃકોડી સાગરોપમની થઈ હોવાથી તેનામાં સમ્યગદર્શનના ભાવ પ્રગટે છે. તે ગૃહસ્થને યોગ્ય વ્રતાદિનું પાલન કરે છે. કાળ અપેક્ષાએ અર્ધપુદ્ગલ પરાવર્ત બાકી રહે ત્યારે આ યોગ્યતા હોય છે. પ્રશમરતિ - ૧૭૪ For Private & Personal Use Only ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ www.jainelibrary.org Jain Education International
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy