SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ પછી સમાધિ જ હોય. તે અનંત અવ્યાબાધ સુખ છે. મુક્તાત્માનું ઉર્ધ્વગમન જ હોય : જીવમાં ઉર્ધ્વગમનને યોગ્ય સંસ્કાર હોય છે. જેમ કુંભાર દંડાથી ચક્રને ગુમાવે છે, પછી દંડો લઈ લે છે છતાં ચક્ર ઘૂમે છે તેમ આત્મામાં ઉર્ધ્વગમનનો સ્વાભાવિક સંસ્કાર હોય છે તેથી ઉર્ધ્વગમન કરે છે. જીવ ઉર્ધ્વગમન કરે છે કારણ કે પૂર્વ પ્રયોગથી, અસંગતાને કારણે કર્મબંધનના નાશથી અને તેવા પ્રકારના ગતિપરિણામથી જીવ સંસારથી મુક્ત થઈ ઉર્ધ્વગમન કરી સિદ્ધશીલા પર એકજ સમયમાં સમાધિ સુખની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અસંગ : લેપ સહિત તૂંબડી તળાવને તળિયે જઈને બેસે. પણ લેપ રહિત થાય એટલે પાણીની સપાટ પર તરે. સંસારમાં જીવ કર્મ-કષાય સહિત હતો તેથી સંસારના સાગરમાં ડૂબેલો હતો. મુક્તાત્માને કર્મનો લેપ જ નથી તેથી સંસારસાગરથી ઉપર ઉર્ધ્વગમન કરી લોકાગ્રે સિદ્ધશીલા પર રહે છે. અબંધ થવાથી : અર્થાત કર્મનો ભાર ન હોવાથી ચાર ગતિમાં (નીચે) જતો નથી. વળી ધર્માસ્તિકાયના અભાવે અલોકમાં જતો નથી. યોગ અને ક્રિયાનો અભાવ હોવાથી તિર્કાલોકમાં જતો નથી. સર્વ પ્રકારે બંધ, અસંગ અને ઉર્ધ્વગમન સ્વભાવ હોવાથી તે ઉર્ધ્વગતિ કરે છે. દેહ અને મનના સદ્ભાવથી જીવને પૂર્વ કર્મના ઉદયે શારીરિક અને માનસિક દુઃખ થાય છે. સિદ્ધાત્માને શરીર અને મનનો અભાવ છે તેથી નિરામય સુખની પ્રાપ્તિ થાય છે. ૨૫. ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ સ્વરૂપ લક્ષે મોક્ષમાર્ગ તો એક છે, બે નથી. ભૂમિકાનુસાર સાધનામાર્ગના ભેદ છે. જિનશાસન શ્રમણોપાસક છે. છતાં સાધુજીવનનું સદ્ભાગ્ય ન હોય તો ગૃહસ્થદશામાં મોક્ષમાર્ગની આરાધના કરવી, તે આ પ્રમાણે છે. સૌ પ્રથમ જિનોક્ત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા કરજે. સન્દેવ, ગુરૂ, ધર્મમાં ઉદ્યમી થજે. આત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણયુક્ત આત્મભાવનું પોષણ પ્રશમરતિ Jain Education International ૧૭૩ For Private & Personal Use Only ગૃહસ્થ માટે મોક્ષ માર્ગ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy