SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન : દેવ, ગુરુ, ધર્મની યથાર્થ શ્રદ્ધા. સભ્યજ્ઞાન : શાસ્ત્રાભ્યાસ વડે, સૂત્ર અર્થજ્ઞાનના આધારે સ્વરૂપ જ્ઞાન, આત્માનુભવ વડે તત્ત્વ બોધ. સભ્યશ્ચારિત્ર : ચારિત્રમાં શુદ્ધિ, સ્થિરતા, સમભાવમાં નિરંતર મગ્ન રહેવાનું છે. તપશ્ચર્યા : અપ્રમાદી રહેવા, સુખશીલતાના સંયમ માટે બાહ્ય અત્યંતર : તપ કરવું. ધ્યાન આરાધના : ધર્મધ્યાન શ્વાસ સાથે ટકવું જોઈએ. ભાવના : બારભાવનાથી ભાવિત રહેવું. યોગ : આત્મભાવમાં ટકવું. અણગાર : મુનિ એટલે અણગાર, સર્વસંગ પરિત્યાગી, સંસાર ત્યાગી એટલે નિઃસંગ. હવે અણગારને સંસારના સંબંધોનું કંઈ પ્રયોજન નથી. તેમનો પ્રવેશ આંતર જગત સાથે છે. જેમાં કેવળ સ્વરૂપનું લક્ષ્ય છે. શુદ્ધ આત્મભાવના છે. બાહ્ય જગતમાં કંઈ કરવાપણું નથી. સ્વયં જ્ઞાયક છે. આવા ભાવયુક્ત અણગાર નિઃસંગતાને કારણે નિર્ભય અને નિર્ભ્રાત હોય છે. અણગારના સંયમને, શીલને દેવેન્દ્રો પણ નમે છે. જો કે અણગાર માન અપમાનથી નિઃસંગ છે. અનેક લબ્ધિના સ્વામી છતાં અણગાર નિઃસ્પૃહ છે. રસ, ઋદ્ધિ કે શાતાના અનેકવિધ સુખમય પ્રકારો છતાં અનાસક્ત છે. શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અપમાને વર્તે તેજ સ્વભાવ જો; જીવીત કે મરણે નહિ ન્યૂનાધિક્તા ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો -અપૂર્વ અવસર. શ્રીમદ્ રાજચંદ્ર અણગારનું સામર્થ્ય અદ્ભૂત છે. ધર્મધ્યાની જયા૨ે શુકલ ધ્યાનમાં પ્રવેશ કરે છે ત્યારે કર્મો બળે છે. સ્વયં તો પ્રશમરસમાં ભીંજાયેલા છે. કર્મક્ષયથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. સ્વભાવના આશ્રયે અણગાર આત્યંતિક શુદ્ધિ દ્વારા કર્મથી મુક્ત થાય છે. ગ્રંથકારશ્રી પ્રકાશે છે કે આંતર જગતની-આધ્યાત્મિક જગતની કેટલીક શાશ્વત વ્યવસ્થાઓ છે. એક જીવે બાંધેલા કર્મોને બીજો આત્મા નાશ કરી શકતો નથી. કારણ કે એક જીવનાં કર્મો બીજા જીવમાં સંક્રાતિત થતા પ્રશમરતિ Jain Education International રત્નત્રયનો આરાધક કોણ ? ૧૭૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy