SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુ મિત્રના ભેદ ક્યાંથી ! તે જાણે છે કે કર્મના ઉદયે રોગ, શોક, વૃદ્ધત્વ, મૃત્યુ આવે છે, તે કર્મપુદ્ગલો કર્મના છે હું તો તેનાથી ભિન્ન જ્ઞાતા છું પછી જીવને તે દશાની વ્યથા કયાંથી હોય? તે સદેવ સુખી છે. અશાતા ! શું છે? પૂર્વના અશાતા વેદનીય કર્મોનો ઉદય છે. મુનિ તેને સમભાવે જાણે છે કે તે દેહનો ધર્મ છે. વૃદ્ધત્વ? અરે ? એ તો શરીરની ક્રમિક અવસ્થા છે આત્મા બાળ, યુવા કે વૃદ્ધ નથી, તો મારે વૃદ્ધત્વનું દુઃખ શું? મૃત્યુ? તે તો જીવન પરિવર્તન છે, મુનિ મહારાજ જાણે છે કે મૃત્યુનું મૃત્યુ તે તો નિર્વાણ છે. પછી જન્મવાનું નથી તો મૃત્યુનો ભય શાનો? આધ્યાત્મિક વિકાસયાત્રામાં સર્વપ્રથમ સ્વજન પરિજનનું મમત્વ છૂટે છે. વૈભવ, સંપત્તિનું મમત્વ છૂટે છે, માન અપમાનમાં સમત્વ આવે છે. શરીર નિમિત્તક માયા છૂટે છે. કોઈ પ્રત્યે રાગ નહિ, દ્વેષ નહિ, સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ. આવી દશા હોય તેને સુખ શોધતું આવે છે. સદેવ સુખી નિગ્રંથ અને નિર્મોહી મુનિ છે. ધર્મધ્યાનમાં લીન, ગુપ્તિથી સુરક્ષિત, ષાય-વિષય, પરિષહ વિજેતા મુનિ નિર્બદ્ધ ભાવમાં સુખી છે. હંઢ છે ત્યાં રાગ-દ્વેષ, હર્ષ-શોક, સુખ-દુઃખ છે, મુનિ તો નિર્બદ્ધ છે. કયારેક ઉદયકર્મ આવે ત્યારે ધર્મધ્યાનની, કાયોત્સર્ગની ઢાલ તેમની પાસે તૈયાર છે. આધ્યાત્મિક દિવ્ય તેજમય તમારું જ્ઞાન સર્વ રીતે નિરંતર ઝળહળતું છે, તેથી પાપજનક વૃત્તિ તેમાં પ્રવેશ પામતી નથી. કયારેક મુનિ મૂંઝાય છે કે ધર્મધ્યાન, સ્વાધ્યાયમાં નિરંતર ઉદ્યમી છતાં જીવને વિકલ્પરહિત આત્મશાંતિ કેમ મળતી નથી ? હે મુનિરાજ! પરમ વિશુદ્ધિનું અસાધારણ કારણ પ્રશમભાવ છે. કષાયોની ઉપશાંતતાના મહાપુરૂષાર્થ વડે પ્રશમસુખના સ્વામી થશો. મૂંઝાશો નહિ. ગુરુનિશ્રામાં આત્મભાવે પુરૂષાર્થમાં તન્મય રહો પછી કોઈ વિન નથી. મુનિનો ગુણ વૈભવ : પ્રશમરસના સ્વામી મુનિ મહાત્માઓનો વૈભવ આશ્ચર્યજનક છે. રત્નત્રય તો મોટો ખજાનો છે. તેમાં વળી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ. પાંચ શુદ્ધાચાર તથા તપનાં આરાધક છે. આ ઉપરાંત સમ્યમ્ દૃષ્ટિ જ્ઞાની અધ્યાત્મ આદિ યોગ વડે ૧૮ હજાર શીલાંગને સહજપણે ધારણ કરે છે. તેમાં અન્ય વિશેષતાઓ પણ છે, તે આ પ્રમાણે : પ્રશમરતિ Jain Education International ૧૬૯ રત્નત્રયનો આરાધક કોણ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy