SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. જો તેમ થતું હોત તો સર્વજ્ઞ તીર્થકર બનનારા પરાર્થવ્યસની, અપાર કરૂણાવાળા, સર્વ જીવનું હિત ચાહનારા તેઓ શુકલધ્યાનના પ્રવેશ સમયે પોતાના ધ્યાનની પ્રચંડ આગમાં કર્મોને બાળે છે તેમ અન્ય જીવોના કર્મોને સંક્રમાવી બાળી શક્યા હોત. પરંતુ તે શકય નથી. તે અબાધિત નિયમ છે. દરેક જીવ પોતે પોતાના કર્મો બાંધે, ભોગવે કે ખપાવે. જે જીવે કર્મોનો ક્ષય કરવો હોય તેણે સ્વયં સ્વપુરૂષાર્થ વડે શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરવો. તે પોતાના કર્મો ખપાવી વીતરાગ થઈ શકે. સંસારથી મુક્ત થાય. મુનિની આંતરિક અનુપમ દશા : મુનિને-અણગારને આત્મ વૈભવની પ્રાપ્તિનું કારણ આધ્યાત્મિક વિકાસ છે. તેનો અભિગમ આ પ્રમાણે છે. જિનવરના વચનોમાં રહેલા ગુણોના સમૂહને ગ્રહણ કરે છે, દોષોનું વર્જન કરે છે. કર્મના વિવિધ વિચિત્ર પરિણામનું ચિંતન કરી જિનાજ્ઞાના પાલનમાં ઉદ્યમી અને ધ્યાન સ્વાધ્યાયમાં લીન રહે છે. સંસારના સંગથી સર્વદા ભીરુ, સૌ પ્રત્યે ક્ષમાશીલ, માન માયા જેવા પ્રપંચથી રહિત નિર્મળ ચિત્તવાળા સાધુ સંસારના સુખની તૃષ્ણાના વિજેતા હોય છે. જેને શત્રુ મિત્રના ભેદ નથી. વન હો કે નગર હો કોઈ અપેક્ષા નથી. અનુકૂળતા કે પ્રતિકૂળતામાં સમાનભાવ યુક્ત સાધુ છે. આત્મરમણતા એ સાધુની ચર્યા છે. જગતના સંબંધોથી નિઃસંગ છે. સ્વસંયમમાં આનંદપૂર્ણ હોવાથી અન્ય અપેક્ષા નથી. મુનિ ધ્યાન-સ્વાધ્યાયમાં તત્પર, મનાદિયોગોને સ્થિર કરી ઉપયોગને આત્મભાવમાં જોડી રાખે. ચારિત્રની શુદ્ધિ એ તો તેમનો પ્રાણ, પ્રમાદ રહિત, સદાય જાગૃત, પરમાનંદના અનુભવમાં ઓતપ્રોત, મુનિરાજની અંતરદશા હોય છે. આવી નિર્મળ દશા યુક્ત મુનિ ધર્મધ્યાનમાં પ્રવેશ કરી નિઃસંગતાના ઉત્કૃષ્ટ યોગથી શ્રેણિપર આરૂઢ થઈ યોગ્ય કાળે શુકલધ્યાન દ્વારા ઘાતકર્મનો ક્ષય કરી પૂર્ણાનંદને પ્રાપ્ત કરી મુક્ત થાય છે. અણગાર શારીરિક શાતા, બાહ્ય ઋદ્ધિ, આહારાદિના કે ઈન્દ્રિયોના વિષયથી અનાસકત-નિર્મમ છે. યદ્યપિ ઋદ્ધિ લબ્ધિ તો તેમના ચરણની દાસીઓ છે છતાં મુનિ તે તરફ નિરપેક્ષ છે. પ્રશમરતિ Jain Education International ૧૭૧ રત્નત્રયનો આરાધક કોણ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy