SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આવા આત્મપરિણામને દિવ્યવાણી દ્વારા પ્રસ્તુત કરવા તે સર્વજ્ઞ પરમાત્માનો ઉપકાર છે. તેઓના પૂર્ણ જ્ઞાનમાં જગતનું સ્વરૂપ જેવું જાણ્યું તેવું પ્રગટ થયું તે મુનિઓએ આગમમાં સંગ્રહિત કર્યું છે. ક્રમ અને વિશુદ્ધિની અપેક્ષાએ કરણના ત્રણ પ્રકાર છે. ૧. ચરમ યથાપ્રવૃત્તકરણ : જીવ જયારે આ કરણમાં આવે છે ત્યારે પ્રથમ સમયે અધ્યવસાયોની વિશુદ્ધિ અલ્પ હોય છે. બીજા સમયથી તે અનુક્રમે અનંતગુણી વિશુદ્ધિ થતી હોય છે. આ યથાપ્રવૃત્તકરણનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે ચરમ હોવાથી આગળ વધે છે. - ૨. અપૂર્વક્રણ : આત્મવિશુદ્ધિનો યથાનામ અપૂર્વ હોય છે. યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે જે ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ હોય તેના કરતાં અપૂર્વકરણના પહેલા સમયે આત્માની જઘન્યથી વિશુદ્ધિ અનન્તગુણી હોય છે. ત્યારપછી સમયે સમયે જઘન્ય આત્મવિશુદ્ધિ કરતાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી હોય છે. સમય એવો સૂક્ષ્મ છે કે જેના બે ભાગ ન થઈ શકે. પરંતુ જેમ નિર્વાણ પામતો શુદ્ધાત્મા તે જ સમયે લોકાગ્રે પહોંચે છે. તેમ આત્માના વિશુદ્ધ પરિણામના આવા ભેદ પડે છે તે ફકત કેવળજ્ઞાની પરમાત્મા જ જાણી શકે છે. તે સિવાય શાસ્ત્રગમ્ય કે શ્રદ્ધાગમ્ય જાણવું. અપૂર્વકરણમાં આત્મવિશુદ્ધિનું પ્રમાણ આ રીતે અનંતગુણ હોય છે. આ ક્રમે અપૂર્વકરણનો કાળ પૂરો થાય છે. તે અંતર્મુહૂર્તનો હોય છે. ત્યારે ચાર સૂક્ષ્મ ક્રિયાઓ કરે છે. જે પૂર્વે કયારે પણ થઈ ન હતી. (૧) સ્થિતિઘાત (૨) રસઘાત (૩) ગુણસંક્રમ (૪) અપૂર્વ સ્થિતિબંધ. સ્થિતિઘાત - અશુભ કર્મોની સ્થિતિ ઘટે. તે પ્રમાણે રસ ઘટે. ગુણવૃદ્ધિ થાય અને પુણ્યની વિશુદ્ધિનો અપૂર્વ સ્થિતિ બંધ થાય. અપૂર્વ એટલે પૂર્વે ક્યારે પણ આવા અધ્યવસાય થયા નથી. અનિવૃત્તિકરણ : આવી અપૂર્વ ક્રિયાઓની સૂક્ષ્મતા અને વિશુદ્ધિના વડે જીવ અનિવૃત્તિકરણ કરે છે. અહીં પણ આત્મા ઉત્તરોઉત્તર સમયે અનન્તગુણ વિશુદ્ધિ કરે છે. અહીં જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદ નથી સમાન છે. આ કરણમાં પણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અપૂર્વ સ્થિતિબંધ થાય છે. અંતરકરણ : - હવે પછી વિશિષ્ટ અને મહત્વપૂર્વ સૂક્ષ્મક્રિયા થાય છે. તે અંતરકરણ. અહીં મિથ્યાત્વનો ઉદય નથી. વનમાં આગ બુઝાય તેમ મિથ્યાત્વની આગ પ્રશમરતિ ૧પ૭ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy