SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન પ્રાપ્તિની પાત્રતા : સમ્યગદર્શન મૂલ્યવાન તત્ત્વ છે. મોક્ષનું પ્રવેશદ્વાર છે. તેના સંસર્ગથી જ્ઞાન પણ સમ્યમ્ બને છે. તે પાંચ લક્ષણ, આઠ ગુણ અને ૬૭ ભેદોથી વિભૂષિત છે. જેના વગર સ્વરૂપ પ્રાપ્તિ કે મુક્તિ નથી તે કેવું ચમત્કારિક હોય તે વિચારવું. સમ્યગ્દર્શન વગર જીવ અનંતકાળથી ભટકયો છે. તેની પ્રાપ્તિ થતાં ભવભ્રમણ સીમિત થઈ અંતે અંત પામે છે. તેવા સમ્યગુદર્શનને નમસ્કાર હો. સર્વ પ્રથમ આત્મવિશુદ્ધિ માટે વિષય કષાયથી વિરક્તિ થવી પાત્રતા માટે જરૂરી છે. આંતર બાહા પાત્રતા માટે કેવી સાનુકૂળતા જોઈએ તે જણાવે છે. ચારે ગતિમાં જીવ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. યદ્યપિ એટલું પૂરતું નથી. એ ગતિમાં જન્મેલો જીવ પર્યાપ્તિયુક્ત જોઈએ. પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ જોઈએ. સશીપણુ મન સહિત જોઈએ. (દ્રવ્યમન) સમ્યગદર્શનની પ્રાપ્તિ સમયે જીવ શુભ લેશ્યાવાળો હોય. તે સમયે શુભપ્રકૃતિના ઉદય બંધવાળો જોઈએ. વિશુદ્ધ અધ્યવસાયવાળો જોઈએ. અશુભ પ્રકૃતિના રસને અનંતગુણહીન અને શુભ પ્રકૃતિના રસને અનંતગુણ વૃદ્ધિએ બાંધનારો જોઈએ. આયુષ્ય સિવાયની સાતે કર્મની સ્થિતિ સાગર કોડાકોડી હીનબંધવાળો હોય. ઉત્તરો ઉત્તર ન્યુન ન્યુન કર્મબંધવાળો જોઈએ. મિથ્યાત્વ મોહનીયકર્મનો ઉપશમ થાય તો તે જીવ સમ્યગુદર્શનરૂપ વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. માત્ર જ્ઞાનનો ક્ષયોપશમ સમ્યગુદર્શનની પ્રાપ્તિમાં કાર્યકારી નથી. મિથ્યાત્વ મોહનીયના ઉપશમની પ્રક્રિયાના ત્રણ કરણ છે. કોઈ જીવને અનુભવ, સંવેદન કે પ્રશસ્ત અધ્યવસાય ઉત્પન્ન થયા હોય તો તેને મોહનીયકર્મનો ઉપશમ થાય છે. કરણ : આત્મપરિણામ, પ્રતિ સમયે ઉત્તરોઉત્તર અનંત અનંત ગુણ વધતા વિશુદ્ધ આત્મપરિણામ (અન્ય અર્થ પણ હોય છે) અત્રે સમ્યકત્વને આશ્રયી છે. પ્રશમરતિ Jain Education International ૧પ૬ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy