SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ xxxxxxx ૨૨. સમ્યગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપસુખનો, શુદ્ધધર્મનો પ્રારંભ સમ્યગુદર્શનથી થાય છે. જે જીવનું દર્શન શુદ્ધ તેનું જ્ઞાન સમ્યગુ કહ્યું છે. તેમાં શુદ્ધ ચારિત્રનો અંશ હોય છે. સમ્યગ્દર્શન એ આત્માનો શુદ્ધ (શ્રદ્ધા) ગુણ છે, જે કેવળદર્શન થતાં પૂર્ણ થાય છે. સમ્યગુદર્શન નિસર્ગ અને અધિગમ-નિમિત્તથી બે પ્રકારે છે. સમ્યગુદર્શન જીવના શુદ્ધ પરિણામ, સહજ ભાવ કે સ્વભાવથી થાય છે તે નિસર્ગ છે, જે પ્રતિમા દર્શનથી, ગુરુગમથી, શાસ્ત્ર અધ્યયનથી કે ઉપદેશકના નિમિત્તથી પ્રાપ્ત થાય છે તે અધિગમ-નિમિત્તરૂપ છે. વ્યવહારનયની અપેક્ષાએ સદેવ, સત્ગુરુ અને સધર્માદિની અપૂર્વ શ્રદ્ધા, તે સમ્યગુ દર્શન. સર્વજ્ઞના બોધમાં અપૂર્વ શ્રદ્ધા, વિભાવ દશાથી મુક્ત થવા માટે ગુરુનિશ્રા અને આજ્ઞાપાલન સધર્મ એટલે દયામૂળધર્મ; જે પરિણામથી આત્મા શુદ્ધ થાય તે ધર્મ અર્થાત ક્ષમાદિ ગુણધર્મો, અહિંસાદિ વતો, દાનાદિ ધર્મો. જીવ ધર્મને ધારણ કરે તો તેને સંસારના દુઃખોથી રક્ષણ મળે. આ નિમિત્તો વ્યવહાર સમ્યકત્વના છે. જે નિશ્ચય સમ્યગ્રદર્શનનું કારણ બને છે. જીવ અને કર્મનો સંયોગ અનાદિકાળથી છે. સંસારી જીવ સામાન્યપણે સંપૂર્ણતયા કર્મોના પ્રભાવ નીચે છે. તેની દરેક વૃત્તિ પ્રવૃત્તિ કર્મપ્રેરિત છે. છતાં જીવ સ્વભાવે અકર્મા છે. જયારે સંસાર પરિભ્રમણનો કાળ મર્યાદિત થાય છે, અર્ધપગલપરાવર્ત જેટલો રહે છે ત્યારે તેને મોક્ષની રૂચિ થાય છે, તેને કંઈક પ્રશ્ન ઉઠે છે કે આ જીવ શું છે ? જગત શું છે? સુખ દુઃખનું કારણ શું છે? ઈચ્છા ન છતાં રોગાદિ કેમ થાય છે? આવા ઉહાપોહના કારણે તેને બોધશ્રવણની ભાવના થાય છે અને પુણ્યયોગે તેને આંતર બાહા તેવા નિમિત્તો મળે છે. સ્વપુરૂષાર્થ વડે આત્મવિશુદ્ધિ કરી સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે ત્યારે તેને સાચા સુખની અનુભૂતિ થાય છે. નિશ્ચયથી સ્વાનુભૂતિજન્ય શુદ્ધિ તે સમ્યકત્વ છે. અનંતાનુબંધી ચાર કષાયો અને દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓ એમ દર્શન સપ્તકનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે ત્યારે જીવને તે તે પ્રકારનું સમ્યગુદર્શન હોય છે જે ચોથું ગુણ સ્થાનક કહેવાય છે. પ્રશમરતિ ૧૫૫ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy