SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ચરણાનુયોગ સઆચાર - સક્રિયા વડે સંયમ પ્રેરક છે. ૪. કથાનુયોગ જીવનના સંઘર્ષો અને અશુભ ભાવથી મુક્ત થવા માટે તે તે મહાપુરૂષોના જીવન ચરિત્રો પ્રેરક બને છે. સાધકે ભૂમિકા પ્રમાણે અભ્યાસ કરવો, જેથી શુભધારા વિકાસ પામે તો શુદ્ધભાવ પ્રત્યે જિજ્ઞાસા ટકે. ભૌતિક સુખની દોડમાં મનુષ્ય જીવનની અમૂલ્ય પળોને હોડમાં મૂકી દે છે. હાર્યો જુગારી જોરમાં રમે તેમ મનુષ્ય વૈભવની છોળોમાં વધુ ખૂંપતો જાય છે. ભલે તમે ધર્મ જેવી મૂલ્યવાન વસ્તુને જાણતા ન હો તો પણ તમારી બુદ્ધિમત્તા એટલું તો જોઈ શકે છે કે સંપત્તિ, શરીર, પરિવાર આદિ કેટલું પરિવર્તન પામતા હોય છે. ધન ધાન્યનો ભરોસો ભ્રમ બને છે. એક મંદીનું મોજું ફર્યું કે કરોડપતિ રોડપતિ બને છે. સંયોગજનિત પદાર્થોનો વિયોગ થાય છે. શરીર સમય જતાં મૃત્યુ તરફ ધકેલાઈ જાય છે. રાગ કયારેક ષમાં પરિણમે છે. હે જીવ! કોના ભરોસે જીવે છે. નશ્વર પદાર્થો સ્વયં ક્ષીણ થાય છે, તો જન્માંતરે કયાંથી આવે ! જયારે ધર્મસંસ્કાર રૂપીઈસ્યોરન્સ સાથે આવે છે. જે જે શુભાશુભ સંસ્કાર ગ્રહણ કર્યા છે તે જન્માંતરે સાથે આવે છે, અને સુખ દુઃખનું કારણ બને છે. ધર્મ એ શુદ્ધતત્ત્વ છે તેથી દુઃખ વગરના સુખનું કારણ બને છે. અંતે જીવને સ્વઆત્મપદની પ્રાપ્તિ કરાવે છે તે ધર્મ. એટલે રાગાદિ પ્રપંચ રહિત શુદ્ધ ભાવ છે. વિરલા જીવો જ તેની જિજ્ઞાસા સેવે છે. તેવી શુદ્ધ ભાવના વડે મુક્ત થાય છે. બુદ્ધિમાન વિચાર કરે કે જે સુખભોગ ટકતા નથી, ભયથી ભરેલા અને પરાધીન છે તે સુખનું સાધન કેવી રીતે બને? અત્રે ગ્રંથકાર જણાવે છે કે “પ્રશમ માં અર્થાત પ્રકૃષ્ટ વૈરાગ્યમાં સુખ છે. જેમાં ભય કે પરાધીનતા નથી કેમ કે વૈરાગ્ય એ શુદ્ધાત્માનો નિજી ગુણ છે જે ભેળસેળ વગરનો છે. બાહ્ય પદાર્થોથી અપેક્ષા રહિત છે. પ્રારંભમાં કદાચ ત્યાગ વૈરાગ્યનું સેવન કષ્ટરૂપ લાગે પરંતુ અંતે તે પરમ સુખરૂપે પ્રગટ થાય છે. વૈરાગ્યના-પ્રશમસુખના માર્ગે જતા પ્રથમ એક ભ્રમનો ત્યાગ કરવો પડશે અને તે છે ઈન્દ્રિયોના સુખોનું આકર્ષણ. સૌ જાણે છે કે ઈન્દ્રિયોનું મનાતું સુખ સમયથી મર્યાદિત છે. પદાર્થથી પરાધીન છે. સ્વભાવથી નશ્વર છે. તેમાં સુખ કેમ હોઈ શકે ? એ વાત તો પ્રચલિત છે કે વિષ ગ્રહણ એક જ વાર મૃત્યુ સર્જે છે. પ્રશમરતિ Jain Education International ૧૩૦ વૈરાગ્યભાવ કેમ પ્રગટે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy