SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વૈભવ શોધતો આવે છે. આવી વિષમતા શાથી? હે જીવ! આ વિષમતા ઈશ્વર નીપજાવતા નથી. જીવ માત્ર પોતાની જ અજ્ઞાનતાને કારણે પુણ્ય-પાપને વશ આ વિષમતાને આધીન જીવે છે. એ પુણ્ય-પાપ જીવના જે શુભાશુભ ભાવ છે, જેના પરિણામે સુખ કે દુઃખ પામે છે તેથી જ્ઞાનીજનોને વૈરાગ્ય પેદા થાય છે. વૈરાગ્યને સેવવા અને ટકાવવા શુભધારાને વહેતી રાખો. શુભધારાને ધારણ કરો. કર્મોની અનેક પ્રકારની વિષમતાઓ જીવે પોતે જ ઈન્દ્રિયોના ભોગની લોલુપતા, ઉન્મત્તતા, અવિવેક, ધર્મવિહીન જીવન, સદાચાર જેવા ગુણોનું સેવન ન કરવાથી પેદા કરી છે. કયાંય સુખ હોય તો પણ તે જીવો આકૂળ છે. ધારો કે દસ વ્યાપારીમાં કોઈ એકનો નંબર પ્રથમ છે તો તેનું સુખ શું? તે નંબર ટકાવી રાખવાની આકૂળતામાં તે સુખે ખાઈ કે સૂઈ શકતો નથી. અજ્ઞાનથી ઘેરાયેલા સંતોષના સુખને માણી શકતો નથી તેના ઉપાય તરીકે જ્ઞાની શુભધારાને ધારણ કરવાના ઉપાયો બતાવે છે. સાધકે સદગુરુના માર્ગદર્શનથી ઉપાયો યોજવા જોઈએ. સાધકોને અનુસરીને ઉપાયોની વિવિધતા છે. કોઈ એક જ ઉપાયના એકાંતમાં ન જતાં પોતાની ભૂમિકા વિકસે તે પ્રમાણે અનુસરવું. પ્રથમ રાગદ્વેષને જીતવાના ઉપાયો સવિચાર, સદાચાર, સત્સંગ, ભક્તિ, સત્કાર્યો, સ્વાધ્યાય, વગેરેની આરાધના છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોને જીતવા સક્રિયાઓ, તપ, જપ વગેરે દ્વારા સંયમ કેળવવો જેથી શુભધારા વહેતી રહે અને જીવ ભાવશુદ્ધિ સુધી પહોંચી શકે. વિકાસના આવા અનેક સોપાન છે. ક્રમે ક્રમે ચઢતા રહેવાથી શુભધારા વહેતી રહેશે. જેનાથી અનુક્રમે શુદ્ધધારા વિકસીત થશે. યદ્યપિ શુભધારાનું સાતત્ય રહેવું કઠણ તો છે જ છતાં સત્પુરૂષાર્થ વડે તે શકય છે. તેમાં સ્વાધ્યાય, શાસ્ત્ર શ્રવણ કે અભ્યાસ વિશેષ પ્રેરક છે. તેમાં સદ્ગુરુની નિશ્રામાં શ્રવણ મનન ચિંતન થાય તો તે ઉત્તમ છે. આત્મ કલ્યાણના સાધકે આગમ-શાસ્ત્રોને અગ્રિમતા આપવી. આ આગમ શાસ્ત્રો ચારઅનુયોગમાં સમાય છે. ૧. દ્રવ્યાનુયોગનો અભ્યાસ ઈન્દ્રિયોના વિષયો અને કષાયોને શાંત કરવા માટે છે. ૨. ગણિતાનુયોગ મનની ચંચળતા દૂર કરવા માટે છે. પ્રશમરતિ ૧૨૯ વૈરાગ્યભાવ કેમ પ્રગટે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy