SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રધાન છે. લાખો શાસ્ત્ર ભણે આત્મજ્ઞાન ન પગટે તે ગુરુવિનય વડે અંતર્મુહૂર્તમાં (થોડા સમયમાં) પ્રગટે. વિનય કેવો હોય ? આવો વિનીત સાધક પૂર્ણજ્ઞાન પામ્યા પછી પણ વિનયધર્મને ચૂકતો નથી. છતા નિરાકુલ છે. હું શુદ્ધ બુદ્ધ શુદ્ધાત્મા છું. આવું દિવ્યજ્ઞાન આત્મામાં પ્રગટ થાય છે ત્યારે આત્મા પૂર્ણાનંદને પ્રાપ્ત કરે છે. એના મૂળમાં ગુરુજનો પ્રત્યેના અનહદ આદરમાંથી સ્વાત્મામાં પ્રગટેલું ક્ષયોપશમ સમ્યજ્ઞાન છે. ગુરુજનોના કૃપામૃતમાંથી પ્રગટેલું એ આત્મજ્ઞાન પૂર્ણતા પામે છે. તે ભલે જ્ઞાનરહિત અવસ્થા હોય પરંતુ તેનો પ્રારંભ તો એ દિવ્યજ્ઞાન આપનારા ગુરુ આજ્ઞાની અપૂર્વ શ્રદ્ધાથી થાય છે. અંતમાં તે વિનીત સ્વાધીનતા પામે છે. આવું ગુરુ પાતંત્ર્ય અંતે સ્વતંત્રતામાં પરિણમે છે. જે સાધક આ વિનયમાર્ગ ચૂકી જાય છે તે કેવું પતન પામે છે તે હવે જોઈએ. ૬ ૧૨. અવિનીતનું પતન કોઈ વાર કાંઠે આવેલી નાવ ડૂબે તેવું આશ્ચર્ય સાધનામાર્ગમાં બને છે. થોડા આગમ-શાસ્ત્રપાઠનો અભ્યાસ થાય, વકતૃત્વ ક્ષયોપશમ થાય પછી ગુરુનિશ્રા ત્યજી દે ત્યારે કાંઠે આવેલી પેલી નાવ ડૂબે તેમ આવો અહંભય અવિનીત સાધક આત્મજ્ઞાનની પ્રાપ્તિ રહિત સંસારમાં ડૂબે છે. કારણકે ક્ષયોપશમ જ્ઞાન તે સ્મૃતિજ્ઞાન છે અનુભવજ્ઞાન નથી. વળી શાસ્ત્રોના અભ્યાસથી પ્રારંભની પવિત્રતાને યોગે કોઈ લબ્ધિ પ્રાપ્ત થઈ (આ કાળે એવું ક્વચિત બને છે એટલે એમાં મોટાભાગનો ભ્રમ છે) તો માનપાન વૃદ્ધિ પામે છે. મોહનીય રૂપાંતર પામી જીવને સમજાવે છે કે આ લબ્ધિનો, શક્તિનો, શાસ્ત્રજ્ઞાનનો ઉપયોગ જનઉત્કર્ષ માટે છે. તને કંઈ અપેક્ષા નથી ! શિષ્યોથી વિંટળાયેલા મહાશય સેવા લેવામાં શાતાગારવમાં ગરકાવ થાય છે, લબ્ધિના - રિદ્ધિના પ્રયોગમાં લોકસંપર્ક વૃદ્ધિ પામતા માનપાનમાં લુબ્ધ બને છે. અને લોકભાવના, શિષ્યોની ભાવનામાં ભિક્ષાચારીમાં રસાસ્વાદને પોષણ મળે છે. આમ શાસ્ત્રજ્ઞાનના જોરે આત્મજ્ઞાન રહિત અવિનીત ગારવથી પતન પામે છે. મોહનીયર્મની જાળમાં ફસાયેલા અવિનીત સાધક કે સાધુ પ્રશમરતિ ૧૨૩ અવિનીતનું પતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy