SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ગુરુ જાણે છે. માટે જ્ઞાનપિપાસુ શિષ્યે તેવા જ્ઞાનીગુરુનું સાન્નિધ્ય મેળવવું. ગુરુ જ્ઞાની, વાત્સલ્યયુક્ત હોય અને શિષ્ય વિનીત હોય એટલે દૂધમાં સાકર ભળે તેવું થાય છે. તેવા ગુરુનું સાન્નિધ્ય મેળવવાની જિજ્ઞાસા અને વિનયગુણ પ્રગટશે ત્યારે તમને તેવા સદ્ગુરુની પ્રાપ્તિ થશે. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, પે'ખે પરમ નિધાન, જિનેશ્વર, હૃદયનયણ નિહાળે જગ ધણી, મહિમા મેરૂ સમાન, જિનેશ્વર. -ધર્મજીન સ્તવન, શ્રી આનંદઘનજી જેણે ગુરુની આજ્ઞા શિરસાવંદ્ય જાણી છે તે સુપાત્ર ગુરુમાં રહેલા સઘળા જ્ઞાનનો પાત્ર બને છે. કદાપિ ગુરુના કડવા વેણ પણ હિતકારી લાગે છે. તેમના બોધામૃતમાં પાવન થયેલો પોતાનામાં રહેલું નિધાન અનુભવે છે. વાસ્તવમાં અહિતકારી ક્રિયાનુષ્ઠાનના અજ્ઞાનને-ક્સ્ટને દૂર કરવા જ્ઞાની સમર્થ છે. ક્યારેક કોમળતા અને ક્યારેક ઠોરતા જરૂરી હોય છે, ત્યારે તેનો ભેદ ન રાખતા તે બંને ભાવને હિતકારી જાણવા. કુંભાર માટીનો ઘડો ઘડે ત્યારે અંદરનો હાથ કોમળતાથી ફરે અને ઉપર ટપલા મારે પછી તે ઘડાને ભઠ્ઠીમાં નાંખે ત્યારે ઘડો સુંદર આકાર પામે, તેમ ગુરુ શિષ્યને પ્રમાદ કરતો જોઈ કઠોર વચનો ક્લે, અને અધ્યયન સમયે વાત્સલ્યથી જ્ઞાનનો બોધ આપે પછી ક્સોટિ કરી તપાવે ત્યારે ઘડાની જેમ શિષ્ય મોક્ષમાર્ગને યોગ્ય આકાર પામે છે. ગુરુજનના આવા કરૂણાભાવને નહિ સમજનારો શિષ્ય વિકલ્પમાં પડે અને સ્વચ્છંદપણે વર્તે, ગુરુનો આદર ન રાખે તો પતન થાય. ગુરુનું સાન્નિધ્ય ચંદન જેવું શીતળ હોય. શિષ્યના તાપ પાપ બધું જ તેનો સ્પર્શ પામી શીતળતા, પ્રશમભાવ અનુભવે છે. કચિત કોઈ સમયે બહાર ઉષ્ણતા જણાય તો પણ તેના અંતરમાં ચંદનની શીતળતા જેવું હોય છે તેમ તું જાણીને શીતળતા સન્મુખ થજે. જો કે આ લોકમાં માતા-પિતા, વડીલો વગેરે ઉપકારી છે પરંતુ સદ્ગુરુનો ઉપકાર તો આ ભવ અને ભવાંતરે પણ ઉપકારી છે. અરે તારી મુક્તિ સુધી તેમનો પ્રભાવ તને ભીંજવતો રહેશે. માતા-પિતા ભૌતિક રીતે ઉપકારી છે. પરંતુ ગુરુજનોની પવિત્રતા, નિષ્કામતા પરમાર્થ માર્ગમાં ઉપકારી છે. જેમ મોક્ષમાર્ગમાં દર્શન મૂલો ધમ્મો છે. તેમ ગુરુગમ લેવા વિનયધર્મ પ્રશમરતિ Jain Education International ૧૨૨ For Private & Personal Use Only વિનય મૂલો ધમ્મો www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy