SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પરલોકમાં તું ન માને કે માને પણ પરિણામ ફળ્યા વગર રહેશે નહિ. વિનીત બનો સુવિનીત બનો, તમારો સૌ આદર કરે, તમે પણ સૌનો હાર્દિક આદર કરો. સુવિનીત એને કહેવાય કે જે અનાદર કરનાર પ્રત્યે પણ સદ્ભાવ રાખે છે. વિનય અને પ્રશમભાવના વરેલા સાધકની જાદુઈ કળા છે. માન અપમાન, વંદક નિંદક, સૌને માટે સદ્ભાવ, પ્રેમ ઉદારતા હોય છે. પ્રશમરસ તો અહંથી ઉજ્જડ બનેલી ભૂમિને-જીવનને પણ નવપલ્લવિત કરે છે. પ્રથમ તો અમૃત છે. પવિત્ર સરિતાનું વહેણ છે. જે તેને ઝીલે છે તે તો પરમાનંદને પામે છે. તેવા સુવિનીતનો-પ્રશમરસના ધારકનો સંગ કરનાર પણ પાવન થાય છે તેવો વિનિયોગ બને છે. જેમ સતી સ્ત્રી આભૂષણો કે વસ્ત્રાલંકરથી જેટલી શોભતી નથી તેટલી શીલથી શોભે છે. શીલ જ તેનું આભૂષણ છે. તેમ સાધકના આભૂષણો શ્રતવિનય, ગુરુવિનય જેવા અભિગમથી શોભે છે. માટે સાધકમાત્રે પોતાના શ્રુતજ્ઞાન અને ચારિત્રને વિનયના, પ્રશમના ત્રાજવે તોલી જોવું? સાધકે સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર તે ત્રાજવેથી માપી જોવું. સપ્રમાણ તોલ સાધકને આધ્યાત્મિક સંપત્તિના શિખરે આરૂઢ કરે છે. વિનીત આરાધક ગુરુનિશ્રામાં આરાધન ક્રે છે. જ્ઞાનીજનો કહે છે કે વિનીત શિષ્ય સદ્ગુરુને આધીન થઈ વર્તે તો અંતર્મુહૂર્તમાં જ્ઞાન પામે જે સ્વબળે કોટિગમે પ્રાપ્ત કરી શકતો નથી. આ પારતંત્રમાં આત્મા જયોતિ પ્રગટવાનું સ્વાતંત્ર્ય સમાયેલું છે. કારણ કે અનાદિકાળનો અહંકારનો સંસ્કાર સ્વમતિએ નિવર્તન પામતો નથી. શિષ્ય તન, મન, ધન સદ્ગુરુને અર્પણ કરવા. સદ્ગુરુને શિષ્યના તન, મન, ધનની જરૂર નથી પણ શિષ્યનો અહંકાર તોડવાનો બોધ આપે છે. સમર્પણ ભાવ શિષ્યનો અહંકાર દૂર થવામાં પ્રબળ હેતુ છે. સવિશેષ ભક્તિમાં જેમ પ્રભુનું પુષ્ટ અવલંબન છે તેમ જ્ઞાનમાર્ગમાં ગુરુનું અદ્વિતીય સ્થાન છે. કારણ કે ભક્તિ સમર્પણના હેતુવાળી છે. જ્ઞાનમાર્ગ પુરૂષાર્થના હેતુ વાળો છે તેમાં ચૂકી જવાના અનેક નિમિત્તો છે. સ્થૂલભદ્રનું દષ્ટાંત શાસ્ત્ર વિદિત છે. માટે શાસ્ત્ર અધ્યયનમાં તેના અર્થ અને ગૂઢ રહસ્યો, શંકાના સમાધાનમાં, કાળાદિનું પ્રમાણ આદિમાં ગુરુજનોજ્ઞાનીઓ નિર્ણાયક છે. તેમને સમર્પિત થવું. શિષ્યનું કલ્યાણ જ્ઞાનથી, તપથી, કે ધ્યાનથી કેવી ભૂમિકામાં છે તે પ્રશમરતિ વિનય મૂલો ધમ્મો ૧ ૨૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy