SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ વિનયમાં ઘણી વિવિધતા છે. તેમાં એક પ્રકાર શ્રુતવિનય છે જે અન્ય વિનયનું માધ્યમ બને છે. વાસ્તવમાં સદ્ગુરુનું સાન્નિધ્ય-યોગ પરમાર્થમાર્ગમાં મૂળ હેતુભૂત છે. તેવો યોગ ક્વચિત મળતો હોય છે, મળે તો વિનય દ્વારા ગુરુગમ પ્રાપ્ત થાય ત્યારે શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાનનો સહજ ક્ષયોપશમ થાય, તે આત્મજ્ઞાનરૂપે પ્રકાશ આપે છે. તેમાં ગુરુવિનયની મુખ્યતા છે. જિનવર કથિત તત્ત્વબોધને પામવા સાધક સદાય તત્પર હોય છે તે માટે આગમ-શાસ્ત્રો આધારભૂત છે. જેમાં આત્મા, પરમાત્મા, સંસારમોક્ષ, જીવ-અજીવ વગેરેનાં સૂક્ષ્મ સ્વરૂપનો બોધ મળે છે. તે સાધકને આત્મહિતાર્થે પ્રેરક બને છે. - જ્ઞાની ગુરુ જાણે છે કે આ વિનીત શિષ્યનું કલ્યાણ શામાં છે ? તે પ્રમાણે તે જ્ઞાનાદિની આરાધના કરાવે છે. સાધક સ્વરૂપમાં સ્થિર થવા જેવો સ્વાવલંબી ન બને અને સામાન્ય સ્મૃતિજ્ઞાનના અહમાં આવી જાય તો કદાચ શાસ્ત્રજ્ઞાનનો ક્ષયોપશમ થાય પણ આત્મજ્ઞાન તો અલભ્ય થઈ જાય. વળી મોક્ષમાર્ગમાં શાસ્ત્રજ્ઞાન અવલંબન છે પણ આત્મજ્ઞાનનું પૂર્ણત્વ થવું તે સ્વરૂપ પ્રાપ્તિ છે. અર્થાત્ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી. આત્મજ્ઞાનથી નિવેડો છે. આત્મજ્ઞાન માટે શાસ્ત્રજ્ઞાન અવલંબન છે. નદી તરવા નાવ લેવી પડે, કિનારો આવે ત્યારે નદીમાંથી બહાર ઉતરાય. અધવચ્ચે નાવ છોડી દે તો ડૂબી જાય તેમ ગુરૂગમનું જાણવું. માટે વિનીત થઈ ગુરુ આજ્ઞાને શિરસાવંદ્ય માનવી. તેવા વિનીત શિષ્યો આત્મકલ્યાણ તરફ વેગથી પ્રયાણ કરતા હોય છે. વિનયવાનનું જીવન, કૂળ, વિદ્યા, વર્તન સર્વદીપી ઉઠે છે. અરે સંસારીને પણ વિનયથી ધન, માન, વિદ્યા, યશ ટકે છે, વિસ્તરે છે. પરમાર્થ માર્ગમાં હેય-ઉપાદેયના વિનય વડે પરંપરાએ મુક્તિ સુધી પહોંચાય છે. આ વિનયગુણમાં બાધક અહંકાર અને દંભ છે. માટે અધ્યાત્મસારમાં ગ્રંથકારશ્રી પ્રકાશે છે કે, “હે મુનિ તમે મોહ અને દંભનો ત્યાગ ક્રો, દંભ સાથે અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ સંભવ નથી. આત્માને હિતકારી ઉપાદેય છે. અહિતકારી દેય છે, આ વિવેક સાધન્ને આત્મસાત હોય છે.” કદાચ તમે મોટા પદ પર હશો તો તમારી સામે જીવો નમ્ર બની રહેશે, પણ પાછળ તો અસદ્ભાવ જ હશે. તેમાં શો લાભ? વળી અહંને કારણે પદ પરથી ઉતર્યા પછી આલોકમાં પણ તારા સામું જોશે નહિ, પ્રશમરતિ ૧૨૦ વિનય મૂલો ધમ્મો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy